Tuesday, November 24, 2020

અમેરિકાની એ ભૂલ જેણે તેને અવકાશમાં સુપરપાવર બનતાં રોકી દીધું


ચંદ્ર સુધી પહોંચવા માટે એક ચીની વૈજ્ઞાનિકે એક નહીં પરતું બે મહાસત્તાઓની મદદ કરી છે, પરંતુ આ વૈજ્ઞાનિકને માત્ર એક જ દેશમાં યાદ કરાય છે.


કવિતા પુરી લખે છે, શાંઘાઈમાં એક સંગ્રહાલયમાં 'સામાન્ય જનતાના વૈજ્ઞાનિક - કિયાન જ્યૂસેન'ના જીવન સાથે સંકળાયેલી 70,000 વસ્તુઓ મૂકવામાં આવી છે. આ સંગ્રહાલયમાં સંપૂર્ણપણે આ વસ્તુઓ જ સંગ્રહાયેલી છે.


કિયાન જ્યૂસેનને ચીનના મિસાઇલ અને અવકાશ પ્રોગ્રામના જનક ગણવામાં આવે છે. સંશોધનને પરિણામે ચીન અવકાશમાં પોતાનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરવા માટે તેના પ્રક્ષેપણ માટેનું રોકેટ બનાવી શક્યું. સાથે જ ચીનના પરમાણુ બેડામાં સામેલ મિસાઇલ બનાવવામાં તેમનું સંશોધન અગત્યનું પુરવાર થયું. તેમને ચીનમાં રાષ્ટ્રીય નાયક માનવામાં આવે છે.


પરંતુ અન્ય એક મહાસત્તા ગણાતા દેશમાં, જ્યાં તેમણે અભ્યાસ કર્યો અને એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું, ત્યાં તેમના નોંધપાત્ર યોગદાનને લોકો ભાગ્યે જ યાદ કરે છે.


કિયાનનો જન્મ 1911માં થયો હતો, આ એ સમય હતો જ્યારે ચીનના અંતિમ રાજપરિવારની સત્તા ગુમાવવાની જઈ રહ્યો હતો અને ચીન એક રાજાશાહી દેશમાંથી ગણતંત્ર બનવા તરફ અગ્રેસર હતું.


તેમનાં માતાપિતા શિક્ષિત હતાં અને જાપાનમાં નોકરી કર્યા બાદ, તેમના પિતાએ ચીનની રાષ્ટ્રીય શિક્ષણતંત્રની સ્થાપના કરી હતી. નાનપણથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે કિયાન ઘણા પ્રતિભાવાન છે અને તેમણે શાંઘાઈની જિયાઓ ટોંગ યુનિવર્સિટીમાં પ્રથમ આવીને દુર્લભ કહી શકાય એવી અમેરિકાની મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી માટેની શિષ્યવૃત્તિ હાંસલ કરી હતી.


1935ની સાલમાં આ સુઘડ અને વેલ-ડ્રેસ્ડ યુવાન બોસ્ટન આવી પહોંચે છે.

કિયાન જ્યૂસેન

ચંદ્ર સુધી પહોંચવા માટે એક ચીની વૈજ્ઞાનિકે એક નહીં પરતું બે મહાસત્તાઓની મદદ કરી છે, પરંતુ આ વૈજ્ઞાનિકને માત્ર એક જ દેશમાં યાદ કરાય છે.

કવિતા પુરી લખે છે, શાંઘાઈમાં એક સંગ્રહાલયમાં 'સામાન્ય જનતાના વૈજ્ઞાનિક - કિયાન જ્યૂસેન'ના જીવન સાથે સંકળાયેલી 70,000 વસ્તુઓ મૂકવામાં આવી છે. આ સંગ્રહાલયમાં સંપૂર્ણપણે આ વસ્તુઓ જ સંગ્રહાયેલી છે.

કિયાન જ્યૂસેનને ચીનના મિસાઇલ અને અવકાશ પ્રોગ્રામના જનક ગણવામાં આવે છે. સંશોધનને પરિણામે ચીન અવકાશમાં પોતાનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરવા માટે તેના પ્રક્ષેપણ માટેનું રોકેટ બનાવી શક્યું. સાથે જ ચીનના પરમાણુ બેડામાં સામેલ મિસાઇલ બનાવવામાં તેમનું સંશોધન અગત્યનું પુરવાર થયું. તેમને ચીનમાં રાષ્ટ્રીય નાયક માનવામાં આવે છે.

પરંતુ અન્ય એક મહાસત્તા ગણાતા દેશમાં, જ્યાં તેમણે અભ્યાસ કર્યો અને એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું, ત્યાં તેમના નોંધપાત્ર યોગદાનને લોકો ભાગ્યે જ યાદ કરે છે.

કિયાનનો જન્મ 1911માં થયો હતો, આ એ સમય હતો જ્યારે ચીનના અંતિમ રાજપરિવારની સત્તા ગુમાવવાની જઈ રહ્યો હતો અને ચીન એક રાજાશાહી દેશમાંથી ગણતંત્ર બનવા તરફ અગ્રેસર હતું.

તેમનાં માતાપિતા શિક્ષિત હતાં અને જાપાનમાં નોકરી કર્યા બાદ, તેમના પિતાએ ચીનની રાષ્ટ્રીય શિક્ષણતંત્રની સ્થાપના કરી હતી. નાનપણથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે કિયાન ઘણા પ્રતિભાવાન છે અને તેમણે શાંઘાઈની જિયાઓ ટોંગ યુનિવર્સિટીમાં પ્રથમ આવીને દુર્લભ કહી શકાય એવી અમેરિકાની મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી માટેની શિષ્યવૃત્તિ હાંસલ કરી હતી.

1935ની સાલમાં આ સુઘડ અને વેલ-ડ્રેસ્ડ યુવાન બોસ્ટન આવી પહોંચે છે.

ન્યૂમૅક્સિકો 1946ઇમેજ સ્રોત,ALAMY

ઇમેજ કૅપ્શન,

ન્યૂમૅક્સિકો 1946


અમેરિકન સૈન્યનું ધ્યાન સ્યૂસાઇડ સ્કવૉડ પર પડ્યું, જેમણે જેટની મદદથી ટૅક-ઑફના સંશોધન માટે નાણાં આપ્યાં. આ તકનીકમાં વિમાનની પાંખમાં બુસ્ટર લગાડવામાં આવતાં હતાં, જેથી તે ટૂંકા રનવેથી પણ હવામાં જઈ શકે.


સૈન્ય દ્વારા મળતી નાણાકીય મદદથી થિયોડોર વૅન કારમનના વડપણ હેઠળ 1943માં જેટ પ્રોપ્લશન લૅબની સ્થાપના કરવામાં આવી. કિયાન અને ફ્રેન્ક મલિના આ પ્રોજેક્ટની મુખ્ય વ્યક્તિ હતા.


ફ્રેસર મૅકડૉનાલ્ડ કહે છે, "કિયાન ચીની નાગરિક હતા, પરંતુ રિપબ્લિક ઑફ ચાઈના અમેરિકાનું મિત્ર હતું અને એટલા માટે અમેરિકન અવકાશકાર્યક્રમમાં એક ચીની વૈજ્ઞાનિકના કામ કરવા અંગે કોઈ શંકાશીલ નહોતું. કિયાનને વર્ગીકૃત હથિયારોના સંશોધન પર કામ કરવા માટેની સુરક્ષામંજૂરી આપવામાં આવી હતી અને અમેરિકન સરકારના વિજ્ઞાન સલાહકાર બૉર્ડમાં પણ તેમણે કામ કર્યું હતું."


યુદ્ધ પૂર્ણ થયું ત્યાં સુધીમાં તો તેઓ જેટ પ્રોપલ્શનના વિશ્વના અગ્રણી નિષ્ણાતોમાંના એક બની ગયા હતા. તેમને થિયોડોર વૅન કારમન સાથે એક અસાધારણ મિશન પર જર્મની મોકલવામાં આવ્યા અને મિશન માટે તેમને લેફ્ટનન્ટ કર્નલની અસ્થાયી પદવી આપવામાં આવી હતી.


તેમનું લક્ષ્ય નાઝી એંજિનિયરોનું ઇન્ટરવ્યૂ કરવાનું હતું, જેમાં જર્મનીના પ્રખ્યાત રૉકેટ વિજ્ઞાની વર્નહર વૉન બ્રોન પણ સામેલ હતા. અમેરિકા એ જાણવા માગતું હતું કે જર્મન લોકો ખરેખર કેટલું જાણે છે.


પરંતુ દાયકાના અંતમાં અમેરિકામાં કિયાનની ઝળઝળતી કારકિર્દીમાં અચાનક અવરોધ આવી ગયો અને તેમના જીવન વિશેની માહિતી લોકો સમક્ષ બહાર આવવા લાગી.


ક્રિસ જેસ્પર્સન કહે છે, "ચીનમાં 1949ની સાલમાં, ચૅરમૅન માઓ દ્વારા સામ્યવાદી પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઈનાની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી અને બહુ ઝડપથી અમેરિકન ચીની લોકોને "દુષ્ટ લોકો" તરીકે જોતા થઈ ગયા."


"અમે અમેરિકામાં એવા સમયગાળામાંથી પસાર થયા, જ્યાં અમને ચીન પ્રત્યે મોહ હતો, પછી કંઈક થાય છે અને આપણે ચીનને બદનામ કરવા લાગીએ છીએ."


આ દરમિયાન JPLના એક નવા ડિરેક્ટરને લાગ્યું કે લૅબમાં જાસૂસી વર્તુળ કામ કરી રહ્યું છે અને તેમણે પોતાની શંકા FBIના સ્ટાફના લોકોને જણાવી.


ફ્રેસર મૅકડૉનાલ્ડ કહે છે, "મારી નોંધ પ્રમાણે તે બધા ચીની અથવા યહૂદી છે."


શીત યુદ્ધ ચાલી રહ્યું હતું અને સાથે જ મૅકકાર્થી યુગની એન્ટિ- કૉમ્યુનિસ્ટ ઝુંબેશ ચાલી રહી હતી. આવા વાતાવરણમાં FBIએ કિયાન, ફ્રેન્ક મલિના અને અન્ય પર સામ્યવાદી હોવાનો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોવાનો આરોપ લગાવ્યો હતો.

કિયાન જ્યૂસેન અને તેમના વકીલ ગ્રાન્ટ કૂપરઇમેજ સ્રોત,GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

કિયાન જ્યૂસેન અને તેમના વકીલ ગ્રાન્ટ કૂપર


US કૉમ્યુનિસ્ટ પાર્ટીના 1938નાં કાગળોના આધારે કિયાન પર આરોપ મૂકવામાં આવ્યા હતા, જેમાં એ દર્શાવવામાં આવ્યું હતું કે તેમણે એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જે એફબીઆઈ મુજબ પસાડેના કૉમ્યુનિસ્ટ પાર્ટીની બેઠક હતી. જોકે, કિયાને આ પક્ષના સભ્ય હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.


પરંતુ નવા સંશોધન પ્રમાણે તેઓ પણ ફ્રેન્ક મલિનાની જેમ વર્ષ 1938માં પક્ષમાં જોડાયા હતા.


ફ્રેઝર મૅકડૉનાલ્ડ કહે છે કે આટલા માત્રથી તેઓ માર્ક્સવાદી બની જતા નથી. એ સમયે સામ્યવાદનો અર્થ જાતિવાદના વિરોધી, એવો પણ થતો હતો.


તેઓ જણાવે છે કે, "આ જૂથ ફાસીવાદના જોખમ સાથોસાથ અમેરિકામાં વંશવાદની ભયાનકતાને પણ લોકો સામે લાવવા માગતું હતું. દાખલા તરીકે, તેઓ સ્થાનિક પાસાડેના સ્વિમિંગ પૂલમાં વિભાગીકરણ સામે સામે ઝુંબેશ ચલાવી રહ્યા હતા, તેઓ કૉમ્યુનિસ્ટ મિટિંગોમાં આ મુદ્દે ચર્ચા કરતા હતા.


કેલિફોર્નિયા સ્ટેટ પોલિટૅક્નિક યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર ઝ્યુયે વાંગ કહે છે કે, "કિયાન ચીન માટે જાસૂસી કરી હોય અથવા તો અમેરિકામાં ગુપ્તચર એજન્ટ તરીકે કામ કર્યું હોય, તે વાતના કોઈ પુરાવા નથી."


જોકે, તેમની સુરક્ષામંજૂરી પાછી ખેંચી લેવાઈ હતી અને તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. થિયોડોર વૉન કરમન સહિતના કેલટેકના સભ્યોએ કિયાનને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા માટે સરકારને વિનંતી કરી, પરંતુ આ પ્રયાસ વ્યર્થ ગયો.


1955માં જ્યારે કિયાને પાંચ વર્ષ નજરકેદમાં પસાર કરી લીધા, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આઈસેનહાવરે નક્કી કર્યું કે તેમને ચીન મોકલી આપવામાં આવશે. વૈજ્ઞાનિક, તેમનાં પત્ની અને અમેરિકામાં જન્મેલાં બે બાળકો સાથે સમુદ્ર માર્ગે રવાના થયા અને જતી વખતે પત્રકારોને કહ્યું કે તેઓ ફરી ક્યારેય અમેરિકામાં પગ નહીં મૂકે. તેમણે પોતાનું વચન પાળ્યું.

ચીનના શાંઘાઈમાં આવેલા જ્યૂસેન મ્યૂઝિયમાં મિસાઈલઇમેજ સ્રોત,ALAMY

ઇમેજ કૅપ્શન,

ચીનના શાંઘાઈમાં આવેલા જ્યૂસેન મ્યૂઝિયમાં મિસાઇલ


પત્રકાર અને લેખક ટિયાન્યુ ફેંગ કહે છે, "તેઓ અમેરિકાના સૌથી પ્રખ્યાત વૈજ્ઞાનિકો પૈકી એક હતા. તેમણે ઘણું યોગદાન આપ્યું છે અને વધુ યોગદાન આપી શક્યા હોત. અને તેથી તેમની સાથે થયેલું વર્તન માત્ર અપમાન જ નહીં પરંતુ વિશ્વાસઘાત પણ હતો."


કિયાન ચીનમાં હીરો તરીકે પહોંચ્યા, પરંતુ તેમને ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં તરત પ્રવેશ ન અપાયો. તેમનો રેકૉર્ડ દોષરહિત ન હતો. તેમનાં પત્ની રાષ્ટ્રવાદી નેતાનાં કુલીન પુત્રી હતાં અને કિયાનના દેશનિકાલ સુધી તેઓ અમેરિકામાં આરામથી જીવન જીવી રહ્યાં હતાં. તેમણે અમેરિકન નાગરિકત્વ મેળવવા માટેની અરજી પણ કરી હતી.


1958માં જ્યારે તેઓ પક્ષના સભ્ય બન્યા ત્યારે તેમણે આ વાતને સ્વીકારી અને કાયમ શાસનની પડખે રહેવાનો પ્રયત્ન કર્યો. તેઓ સાંસ્કૃતિક ક્રાંતિથી બચી ગયા અને આ રીતે અસાધારણ કારકિર્દી બનાવવામાં સફળ થયા.


જ્યારે તેઓ ચીન પહોંચ્યા ત્યારે રૉકેટ વિજ્ઞાન વિશે ઓછી સમજ હતી, પરંતુ 15 વર્ષ પછી તેમની દેખરેખ હેઠળ ચીનને પ્રથમ ઉપગ્રહને અવકાશમાં તરતો મૂક્યો હતો. દાયકાઓ સુધી તેમણે વૈજ્ઞાનિકોની નવી પેઢીને તાલીમ આપી છે અને ચીનના ચંદ્ર સંશોધનકાર્યક્રમનો પાયો નાખ્યો છે.


ફ્રેઝર મૅકડૉનાલ્ડ કહે છે, "મજાની વાત એ છે કે કિયાને ચીનમાં મિસાઇલ પ્રોગ્રામનો વિકાસ કર્યો તેનો ઉપયોગ અમેરિકા સામે કરવામાં આવ્યો હતો. 1991ના ખાડી યુદ્ધમાં અમેરિકા સામે અને વર્ષ 2016માં USS મેસન સામે કિયાનની સિલ્ક વોર્મ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો "


"આ એક વિચિત્ર વર્તુળ છે. અમેરિકાએ આ કુશળ વૈજ્ઞાનિકને કાઢી મૂક્યો અને તેમનું આ પગલું તેમને કરડવા પાછળ આવી ગયું."

તેઓ જણાવે છે કે, ઘરેલુ સામ્યવાદ વિરુદ્ધ કડક વલણ અખત્યાર કરવા માટે અમેરિકાએ પોતાના મુખ્ય સામ્યવાદી હરીફને મિસાઇલો અને અવકાશ કાર્યક્રમ વિકસાવવા માટે માર્ગ મોકળો કરી આપ્યો - આ એક અસાધારણ જિયો-પૉલિટિકલ ભૂલ હતી."


નૌકાદળના ભૂતપૂર્વ US સેક્રેટરી, ડેન કિમબલ, જેઓ બાદમાં રૉકેટ પ્રૉપલ્શન કંપનીના ઍરોજેટના વડા બન્યા. તેમણે એકવાર કહ્યું હતું કે "આ દેશે કરેલું સૌથી મૂર્ખતાભર્યું કાર્ય" હતું.


ચીન અને અમેરિકા વચ્ચે ફરી એક વખત તણાવ વધ્યો છે. જોકે આ વખત વિચારધારાના કારણે નહીં પરતું વેપાર, ટૅક સિક્યૉરિટી અંગેની ચિંતાઓ અને જેમ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહે છે તેમ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં ચીનની નિષ્ફળતાને કારણે છે.


મોટાભાગના અમેરિકન લોકોને કિયાન અને અમેરિકાના અંતરિક્ષકાર્યક્રમમાં તેમની ભૂમિકા વિશે કોઈ માહિતી નથી.


ફેંગ કહે છે કે અમેરિકામાં ઘણા ચાઇનીઝ અમેરિકનો અને ચીની વિદ્યાર્થીઓ તેમના વિશે અને તેમણે દેશ કેમ છોડવો પડ્યો તે અંગે જાણે છે. તેઓ હાલના સમયને સમાંતરપણે જુએ છે.


તેઓ કહે છે કે, "અમેરિકા અને ચીનના સંબંધો એટલા બગડી ગયા છે કે આ લોકો જાણે છે કે તેમના પર પણ પણ કિયાનની પેઢીની જેમ જ શંકા કરવામાં આવશે."

મૅકડૉનાલ્ડ મુજબ કિયાનની વાર્તા એક ચેતવણી છે જે જણાવે છે કે જ્યારે તમે જ્ઞાનને બહાર કાઢી મૂકો છો ત્યારે શું થાય છે.


"અમેરિકન વિજ્ઞાનની સમગ્ર વાર્તા એ છે કે તે બહારથી આવેલ લોકો દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ આજના રૂઢિ ચુસ્ત સમયમાં આ વાતની ઉજવણી કરવાનું મુશ્કેલ બની જાય છે."


તેમનું માનવું છે કે US સ્પૅસ પ્રોગ્રામમાં JPLનું જે યોગદાન છે તેની વર્નહર વૉન બ્રોન અને અન્ય જર્મન વૈજ્ઞાનિકોની સરખામણીમાં અવગણના કરવામાં આવી છે. આ વૈજ્ઞાનિકોને વૉન કારમન અને કિયાન દ્વારા લેવાયેલા મુલાકાત બાદ બાદ તરત જ US સિક્રેટમાં લઈ લેવામાં આવ્યા હતા.


મૅકડૉનાલ્ડ કહે છે કે બ્રોન નાઝી હતા અને તેમ છતાં તેમની સિદ્ધિઓને માન્યતા આપવામાં આવી છે જ્યારે કિયાન અને તે અન્ય લોકોની એ પ્રકારે માન આપવામાં આવ્યું નથી. તેઓ વધુમાં જણાવે છે, "એ વિચાર કે અમેરિકાનો પ્રથમ સફળ અવકાશકાર્યક્રમ દેશના સમાજવાદીઓ, ભલે તે યહુદી હોય કે ચીની, દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, આ વાત સાંભળવું અમેરિકાને ગમતું નથી.".


કિયાન લગભગ એક સદી સુધી જીવ્યા.


હવે ખરાબ આર્થિક સ્થિતિ ધરવાતું ચીન પૃથ્વી અને અવકાશમાં એક મહાસત્તા બની ગયું છે.


કિયાન આ પરિવર્તનનો એક ભાગ હતા. પરંતુ તેમની વાર્તા એક મહાન અમેરિકન ગાથા પણ બની શકે - જ્યાં પણ પ્રતિભા દેખાય, જ્યારે પણ દેખાય, ત્યાં તે ખીલી શકે.


ગયા વર્ષે, ચીને ઇતિહાસ રચ્યો જ્યારે તેમણે ચંદ્રની દૂર તરફ આવેલા વૉન કારમન ક્રેટર પર ઉતરાણ કર્યું. જેનું નામ કિયાનના માર્ગદર્શક એવા ઍરોનોટિકલ એંજિનિયરના નામ પરથી આપવામાં આવ્યું હતું. અમેરિકન સામ્યવાદવિરોધી સામ્રાજ્યવાદે ચીનને અવકાશમાં આગળ વધારવામાં મદદ કરી તે હકીકત સ્વીકારવી રહી.

લી. મિતાલી ફેશન.

Tuesday, November 3, 2020

વહાણવટા ક્ષેત્રે ચક્રવર્તી ગુજરાતી મહિલા સુમતિ મોરારજી

 ગુજરાતની પ્રજા વ્યાપારવણજમાં તો સાહસિક છે જ પણ સાગરખેડુ તરીકે પણ તેણે આગવી નામના મેળવી છે. પોતાના વિશિષ્ટ ગુણો, સુલેહ અને સમાધાન, સહકાર અને સહિષ્ણુતાને કારણે ગુજરાતી પ્રજા દુનિયામાં વ્યાપાર કરવા માટે સફળ રહી છે.

વાસકો-દ-ગામા એ ભારતની શોધ નહોતી કરી તે પૂર્વે પણ ગુજરાતમાંથી વહાણો દરિયાપારના પૂર્વ આફ્રિકા, આરબ દેશોમાં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યાં હતાં. આવી સાહસિક પ્રજામાં દરિયાખેડુ તરીકે પુરુષોનું વર્ચસ્વ રહ્યું હતું જેમાં કાનજી માલમ હોય કે રામસી માલમ હોય, વહાણના નાખુદા અથવા કૅપ્ટન તરીકે પુરુષો જ હોય.

આવી સુવાંગ મૉનોપૉલી તોડી કચ્છની એક બહાદુર દીકરીએ, જેનું નામ કબી કસ્ટા હતું. ભારતનાં આ પ્રથમ વહાણવટી મહિલા કબી કસ્ટા નાખુદાં બન્યાં તેની પાછળ પણ કારણ હતું. પતિ મીઠુ કસ્ટાને એ જમાનાનો રાજરોગ ક્ષય (ટીબી) લાગુ પડતાં તેમણે કબીને પ્રોત્સાહિત કર્યાં.

કબી પિતા ભોલુ માલમ પાસેથી માલમી વિદ્યા શીખી પૂર્વ-પશ્ચિમનાં બંદરો, આફ્રિકાનાં વિવિધ બંદરો સુધી વહાણ લઈ જતાં. આમ કબી કસ્ટા તે વખતે દેશનાં પ્રથમ નાખુદા અથવા કૅપ્ટન બન્યાં.

ત્યારબાદ લાંબા સમયને અંતે ભારતના વહાણવટાઉદ્યોગમાં કૅપ્ટન તરીકે નહીં પરંતુ વહાણોના પરિવહન અને વહાણો બનાવવાના વ્યવસાયની દોર સાંભળનારાં સુમતિ હતાં. આમ ભારતમાં વહાણવટાના ઇતિહાસમાં કબી કસ્ટા અને સુમતિનું નામ અમર થઈ ગયું.

લાઇન
સુમતી મોરારજી

દેશના વહાણવટાઉદ્યોગમાં પ્રથમ ભારતીય નારી તરીકે નામના પ્રાપ્ત કરનારા સુમતિ મોરારજીનો જન્મ 13 માર્ચ 1909ના રોજ કચ્છના મુંબઈ આવીને સ્થિર થયેલા કચ્છી ભાટિયા શેઠ મથુરદાસ ગોકુલદાસને ત્યાં થયો હતો.

તેઓ વ્યાપારી અને શૅરબજારના બેતાજ બાદશાહ કહેવાતા. તેમનો વ્યવસાય મુખ્યત્વે કપાસ, કાપડ અને હીરડાનો વ્યાપાર હતો અને તેઓ છેક પૂર્વ આફ્રિકા સુધી વ્યાપાર કરતા.

તેમને શૅરબજાર અને રેસકોર્સમાં રસ હોવાથી મુંબઈના અન્ય અગ્રણી પૈસાદાર કુટુંબો, હિસ હાઈનેસ આગાખાન અને વિદેશીઓ જોડે સારા સંબંધો હતા.

શેઠ મથુરદાસ ગોકુલદાસને સાત સંતાનો હતા તેમાં છ પુત્રો અને છેલ્લે લાડકવાઈ બહેન જમુના(સુમતિ બહેન). જમુનાએ કોઈ શાળા કે કૉલેજમાં શિક્ષણ મેળવ્યું ન હતું પરંતુ તેમના પિતાએ એક પારસી શિક્ષક રાખીને તેમને અંગ્રેજી શિખવાડ્યું હતું અને તેમણે શાસ્ત્રીય સંગીતની પણ તાલીમ અપાવી હતી.

આ ઉપરાંત તેઓ પાંચ ભાષાઓ જાણતાં અને ઘોડેસવારી અને સ્વિમિંગ પણ શીખ્યા હતા.

તેઓ નાનપણથી લગભગ 10-12 વરસની ઉંમરે પોતાના પિતા અને ભાઈઓ વચ્ચે ધંધાની ચર્ચાઓ સાંભળતાં અને કોઈકવાર ચર્ચામાં ભાગ પણ લેતાં.

તેમના પિતાએ જમના (સુમતિબેન)ની ધગશ અને બુદ્ધિચાતુર્ય જોઈ તેમને ધંધાની દરેક વાતથી વાકેફ કરવાનું વલણ અપનાવ્યું.

આમ જમુના ધીરેધીરે વ્યાપાર કરવા ઘડાતાં ગયાં અને તેમની આ ક્ષેત્રમાં આગળ વધવાની મહત્વકાંક્ષાએ જમનાનો આત્મવિશ્વાસ વધાર્યો.

જમુના 13 વરસનાં થયાં એટલે તેમનાં માતા પ્રેમાબાઈના આગ્રહને વશ થઈ તેના પિતાએ તેમનું લગ્ન મુંબઈના ઉદ્યોગપતિ અને શિપિંગ અને ટૅક્સ્ટાઈલઉદ્યોગના અગ્રણી એવા શેઠ નરોત્તમ મોરારજી કુટુંબમાં તેમના પુત્ર શાંતિકુમાર સાથે કર્યાં.

એ જમાનામાં તેમનાં લગ્ન એટલી જાહોજલાલીથી થયાં હતાં કે કેટલાય દિવસો સુધી મુંબઈમાં લગ્નની ઉજવણીની ચર્ચાઓ ચાલી હતી.

જમુનાનું લગ્ન થતાં સસરા પક્ષે તેમનું નામ સુમતિ રાખવામાં આવ્યું. તેમના વર્તન અને વ્યવહારથી તેઓ પોતાના પિતા જેટલો જ પ્રેમ તેમના સસરા નરોત્તમ મોરારજી પાસે પામ્યાં હતાં.

નરોત્તમ મો રારજીના અવસાન પછી સુમતિ સામાજિક વ્યવહાર તેમનાં વડસાસુ ઘનીમા પાસેથી શીખ્યાં.

પોતાના પિતાના ઘરે જે રીતે તેમનું ઘડતર થયું હતું અને વ્યાપાર તેમજ સામાજિક પ્રવૃતિઓમાં તેઓ આગળ રહ્યાં હતાં તેજ રીતે લગ્ન પછી તેઓ સસરાના ઘરે પણ આ બધી બાબતોમાં એટલો જ રસ લેતાં.

એ જમાનામાં રાજાઓ, ઉદ્યોગપતિઓથી માંડી અંગ્રેજ અધિકારીઓની આગતાસ્વાગતા કરતાં.

તેઓ અંગ્રેજી, મરાઠી, હિંદી જેવી ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવતાં તેથી તેમને વાતચીતમાં કોઈ મુશ્કેલી પડતી નહીં. તેમના પિતા પાસે મેળવેલી કેળવણી અને સમજદારીને કારણે વિકસેલી હિંમતને કારણે સુમતિએ 'સિંહનું બાળ સિંહ જ હોય' તે સિદ્ધ કર્યું.

લાઇન
પ્રાર્થનાત્મક તસવીર

પિતાની જેમ તેમના સસરાએ પણ પુત્રવધુનું હીર પારખી તેમને વ્યવસાયમાં પળોટવા માંડ્યાં. એ જમાનામાં ગર્ભશ્રીમંત પરિવારની મહિલા ભાગ્યે જ બહાર નીકળતી હતી. એ સમયે સુમતિ બોર્ડની બેઠકમાં હોય કે મજૂરસંઘના મેળાવડા હોય, અવશ્ય હાજર રહી પોતાની ફરજો બજાવતાં. ધીરેધીરે સુમતિ પોતાના પતિ સાથે રહી સોલાપુરની કાપડ મિલમાં તેમજ વહાણવટાઉદ્યોગમાં પણ રસ લેતાં થયાં.

ઈ.સ.1923માં જ્યારે સુમતિ માત્ર 20 વર્ષનાં હતાં ત્યારે શેઠ નરોત્તમે તેમને 'સિંધિયા સ્ટીમ નૅવિગેશન લિમિટેડ' કંપનીની મૅનેજિંગ કમિટીનાં સભ્ય તરીકે સામેલ કર્યાં હતાં. નરોત્તમ મોરારજીએ 1919માં સિંધિયા શિપિંગ કંપની સ્થાપી અને પ્રથમ વહાણ 'લોયલ્ટી' દ્વારા યુકેની પ્રથમ સફર ખેડી હતી તેમાં વિદેશીઓ પણ હતા.

1925માં વડોદરા મહારાજાના સહકારથી ઓખા બંદરેથી માલપરિવહનઅર્થે 'જળજ્યોતિ' વહાણને કાર્યરત કર્યું હતું. આમ નાનાં બંદરોના વિકાસનું કામ પણ શેઠ નરોત્તમ મોરારજીએ શરૂ કર્યું હતું.

ત્રીજું વહાણ 'જલબાલા'નું જુલાઈ 1927માં ઉદ્ઘાટન વિઠ્ઠલભાઈ પટેલના હાથે થયું હતું જે સમયે જામનગરના જામ રણજીતસિંહ, વી.ટી. કૃષ્ણામાચારી, ડૉ. વિશ્વેસરૈયા વિગેરે હાજર હતા. ચોથા વહાણ 'જલદૂત'નું ઉદ્ઘાટન નવેમ્બર 1927માં મોતીલાલ નહેરુના હાથે થયું હતું.

5, નવેમ્બર 1929ના રોજ સોલાપુરથી મુંબઈ પરત આવી રહેલાં સુમતિના સસરા નરોત્તમ મોરારજીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું.

આવી અણધારી આફત આવતાં સોલાપુર અને મુંબઈની મિલો અને સિંધિયા સ્ટીમ નૅવિગેશન લિમિટેડની જવાબદારી તેમના પતિ શાંતિકુમાર અને સુમતિ પર આવી પડી. પરંતુ પિતા અને સસરા પાસેથી મેળવેલ નીડરતા અને ધૈર્યની શિક્ષાએ તેમને સફળતાપૂર્વક જવાબદારીઓ નિભાવવાની શક્તિ આપી.

1936માં મૂંબઈમાં જ્યારે 'સિંધિયા હાઉસ'નો પાયો નંખાયો ત્યારે સરદાર પટેલે તેનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે "સિંધિયા કંપનીનો ઇતિહાસ ભવ્ય છે. આ ઇમારતની એક-એક ઈંટ અને પથ્થર ઉપર ભારતીય વહાણવટાનો ઇતિહાસ લખાશે."

સુમતિની દીર્ઘદ્રષ્ટિને કારણે શિપિંગ ઉદ્યોગ માટે જરૂરી પ્રશિક્ષક મળી રહે તે માટે તેમણે 1948માં નૌકાવિષયક ઈજનેરી કૉલેજ છાત્રાલય સાથે શરૂ કરી અને રડાર નિરીક્ષણનો અભ્યાસક્રમ પણ દાખલ કરવામાં આવ્યો હતો.

તેમણે તાલીમજહાજ "ડફરિન"ની શરૂઆત સ્વતંત્રતા પહેલાં કરી હતી. આ જહાજ થકી શરૂઆતમાં 50 કૅડેટને તાલીમ આપવામાં આવતી પરંતુ સમય જતાં આ સંખ્યા 80ની કરવામાં આવી.

આમ સિંધિયા કંપની માત્ર જહાજો થકી માલસામાનનું પરિવહન કરતી હતી એવું નહોતું પરંતુ તે નાવિકો તૈયાર કરવા માટે તાલીમ પણ આપતી હતી.

સુમતિ મોરારજીના અધ્યક્ષપણા હેઠળ 1949માં ડિરેક્ટોરેટ ઑફ મરીન ઍન્જિનિયરિંગ ટ્રેનિંગની કોલકત્તામાં મુખ્ય કચેરી સ્થાપવામાં આવી જેની એક શાખા મુંબઈમાં છે.

સુમતિ માત્ર ઘર કે વ્યવસાયમાં જ આગળ હતાં તેવું નથી, તેઓએ દેશમાં ચાલી રહેલા આઝાદી માટેના આંદોલનમાં પણ ભાગ લીધો હતો. સુમતિ આ માટે સતત ગાંધીજીના સંપર્કમાં રહેતાં. તેમની મુલાકાત અંગે વર્તમાનપત્રો નોંધ લેતાં.

1942થી 1946 સુધી સ્વતંત્રતાચળવળમાં કેટલાક સ્વાતંત્ર્યસેનાનીઓ જેવા કે જયપ્રકાશજી, અચ્યુત પટવર્ધન, અરુણા અસફઅલીને ભૂગર્ભમાં રાખી સ્વતંત્રતાઆંદોલન ચલાવવા માટે તેમણે મદદ કરી હતી.

આઝાદીની ચળવળમાં ભાગ લેતાં કંપનીને નુકશાન ન થાય તે માટે તેમણે 1942માં 'સિંધિયા કંપની'ના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું.

22મી ફેબ્રુઆરીએ કસ્તુરબાનો દેહાંત થતાં તેમના અંતિમદર્શન કરવા માટે બાપુ પાસે રજા માગી. શેઠ વાલચંદ હિરચંદ 1947 સુધી સિંધિયા કંપનીના પ્રમુખ હતા પરંતુ તેમની તબિયત નબળી રહેતાં 1946માં સિંધિયા કંપનીની જવાબદારી સુમતિએ સંભાળી લીધી. ગાંધી બાપુએ તેમને આત્મબળ પૂરું પાડ્યું. 1944માં બાપુ જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે સુમતિ મોરારજીના જુહુ ખાતેના 'પામ-બન'માં રહ્યા હતા.

લાઇન
પ્રાર્થનાત્મક તસવીર

સુમતિએ પોતાના પૂર્વ અનુભવને પગલે સિંધિયા સ્ટીમ નૅવિગેશન લિમિટેડ કંપનીનો જબરજસ્ત વિકાસ કર્યો. શરૂઆતમાં અમુક જહાજો હતાં અને કંપનીમાં કર્મચારીઓ પણ થોડા હતા. સુમતિ વહીવટ સંભાળતાં થયાં ત્યારથી કંપનીનો વિકાસ સારો થયો અને તેમના હાથ નીચે 6000 જેટલા લોકો રોજગારી મેળવતા થયા. અને તેમના નેતૃત્વ હેઠળ 43 જહાજો પાંચ લાખ બાવન હજાર ટન માલનું પરિવહન કરતાં.

21 જૂન 1941માં વિશાખાપટ્ટનમ ખાતે ડૉ. રાજેન્દ્રપ્રસાદના હાથે સિંધિયા તરફથી વહાણ બાંધવાના ઉદ્યોગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે મહાત્મા ગાંધી, સરોજિની નાયડુની આશિષ સુમતિ મોરારજીએ મેળવી હતી.

જોકે, બીજું વિશ્વયુદ્ધ ફાટી નિકળ્યું અને જાપાને વિશાખાપટ્ટમ પર આક્રમણ કરતા તેમને ભારે નુકશાન થયું.

બીજા વિશ્વ યુદ્ધ પછી સિંધિયાએ નાનાં પાયે વિશાખાપટ્ટમમાં જહાજો બનાવવાની મંજૂરી મળી ત્યારે પહેલું 8000 ટનનું જહાજ "જળઊષા" 1948માં બાંધ્યું, જે સંપૂર્ણ સ્વદેશી હતું અને 14 માર્ચ 1948ના દિવસે ઉદ્ઘાટન માટે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને આમંત્રણ આપ્યું હતું.

આ પ્રસંગનું વર્ણન કરતાં સુમતિબેન એમની સ્મરણોની કિતાબનાં પાનાં ફેરવતાં આ રીતે કરે છે. "પંડિતજી ઉદ્ઘાટન પ્રસંગે સમય કરતાં વહેલા પધાર્યા હતા. એમના માણસોની શરતચૂકને કારણે લોકોનાં ટોળાં આજુબાજુનાં ગામોમાંથી જહાજ અને નહેરુજીને જોવા ઊમટી પડ્યાં."

સિંધિયા કંપનીએ "જળઊષા", "જળપ્રભા" તેમજ 1950માં ગ્લાસગોમાં વિશાળ "જળરાજેન્દ્ર" વહાણ તરતાં મૂક્યાં.

સિંધિયા સ્ટિમ ઍન્ડ નૅવિગેશ કંપનીની વિશ્વના 28 દેશોમાં ઑફિસો હતી અને વિશ્વના 80થી વધુ દેશો સાથે તેમનો વ્યાપાર ચાલતો.

આમ વિશ્વ આખામાં કુલ 12000થી વધુ લોકો તેમની સાથે કામ કરતા. સુમતિની કામગીરી જોઈને 1965માં તેઓ ઇન્ડિયન નેશનલ સ્ટીમશિપ ઑનર્સ ઍસોશિયેશનના (પછીથી નામ બદલી 'ઇન્ડિયન નેશનલ શિપ ઑનર્સ ઍસોશિએશન' કરવામાં આવ્યું)નાં પ્રમુખ તરીકે ચૂંટાયાં.

1970માં વર્લ્ડ શિપિંગ ફેડરેશન, લંડનના ઉપપ્રમુખ તરીકે ચુંટાયાં હતાં. તેઓ નરોત્તમ મોરારજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ શિપિંગનાં પ્રમુખ હતા.

વહાણવટાના ક્ષેત્રે જોડાયેલાં સુમતિ પ્રથમ ભારતીય સન્નારી હતાં.

1950ની શિપિંગ માટેની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં તેઓ હાજર હતાં ત્યારે આ કૉન્ફરન્સમાં તેમની હાજરીથી કેટલાક સભ્યો ક્ષોભ પામતા.

પરંતુ સુમતિને તેનાથી કોઈ જ ફરક પડતો ન હતો. તેમનો આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ આ બધું પચાવી જાય તેવું હતું. ચુસ્ત પુષ્ટિ માર્ગીય હોવાથી વિદેશ જાય તો દારૂ અને માંસાહારથી દૂર રહેવા છતાં પણ તેમના મિલનસાર સ્વભાવને કારણે તેઓ વિદેશીઓ સાથે સુમેળભર્યા સંબધો જાળવી રાખતાં.

વર્ષ 1979થી વર્ષ 1987 સુધી સુમતિ કંપનીનાં પ્રમુખ રહ્યાં. ફડચામાં ગયેલી 'સિંધિયા સ્ટીમ નૅવીગેશન કંપની'ને જ્યારે સરકારે પોતાના હસ્તક લીધી ત્યાર બાદ પણ સુમતિબે મોરારજી ઈ.સ. 1992 સુધી કંપનીનાં માનદ્ પ્રમુખ બન્યાં રહ્યાં.

તેમને ઈ.સ. 1971માં નાગરીક સેવાઓ માટે દેશનું દ્વિતીય સર્વોચ્ચ નાગરિક સન્માન "પદ્મવિભૂષણ" એનાયત કરવામાં આવ્યું હતું.

સુમતિ સમાજજીવનમાં એટલાં જ ઓતપ્રોત રહેતાં. તેમણે જૂહુ ખાતે સુમતિ વિદ્યાકેન્દ્ર નામની શાળાની સ્થાપના કરી. આ ઉપરાંત તેઓ ઈસ્કોન-ISKCON સાથે જોડાયેલ હતાં.

ભારતના ભાગલા થયા તે સમયે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરતા હિન્દુઓને ભારત લાવવામાં તેઓનો ફાળો ઘણો મોટો હતો.

ભારતના સચિવાલય ફરીસાને સંપૂર્ણ સહાય કરવામાં આવી પણ તેનું નામ અગ્રેસર રાખ્યું. વિદ વિદ્યુશી, ઉદ્યોગસાહસિક, દક્ષ પ્રબંધક અને સમાજસેવી 27 જૂન 1998 નાં રોજિંદારોગના હુમલામાં 91 વૃદ્ધ અવ્યવસ્થાનો.

સંદર્ભ:

૧. સપનાથી સોદાગર, લેખક: ઉષા ભાલ મલજી, પ્રકાશક: ગુજરાત વિશ્વ કોષ ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ 2013 પાન: થી 66 થી 77

૨. જીવન૧ જીવનસાર લેખક: જીતેન્દ્ર પટલ, પ્રકાશક: પાર્શ્વ પબ્લિકેશન બીજા આવૃત્તિ: 2018

૩. "નવી સેવા ખોલવા માટે બોસ શિપિંગ". સ્ટ્રેટ્સ ટાઇમ્સ. 22 નવેમ્બર 1971. પી. 8. સુધારેલ 21 જૂન 2012.

૪. "ભારતીય વહાણની માતા સુમતી મોરારજીનું 91 વર્ષની વયે અવસાન". 29 જૂન 1998. સુધારેલ 21 જૂન 2012

લી મિતાલી ફેશન


અતિત ની સુંદર યાદો

  ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરવી   એ અમારી કાયમી ટેવ હતી..! અને ભણવાનો તણાવ ? પેન્સિલનો પાછલો હિસ્સો  ચાવી ચાવીને  તણ...