Tuesday, May 11, 2021

અતિત ની સુંદર યાદો

 

ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી
કેલ્શિયમની ઉણપ પૂરી કરવી  
એ અમારી કાયમી ટેવ હતી..!

અને ભણવાનો તણાવ ?
પેન્સિલનો પાછલો હિસ્સો 
ચાવી ચાવીને 
તણાવમુક્ત થઈ જતા હતા..!

અને હા ... 
ચોપડીઓની વચ્ચે 
વિદ્યાના ઝાડનું ડાળું અને 
મોરના પીંછાંને મૂકવાથી 
અમે હોંશિયાર થઈ જઈશું 
એવી દૃઢ માન્યતા હતી..!

અને 
કપડાના થેલામાં 
ચોપડા ગોઠવવા એ 
અમારું આગવું કૌશલ્ય હતું.

ચોપડા ગોઠવવા એ જ 
એ જમાનામાં હુન્નર મનાતું હતું.
અને .. 
ચોપડાઓ ઉપર પૂંઠા ચડાવવા 
એ અમારા જીવનનો 
વાર્ષિક ઉત્સવ હતો ‌...
  
અને માતા-પિતાને 
અમારા ભણતરની તો 
કોઈ ફિકર કે ચિંતા જ નહોતી.

વર્ષોના વર્ષ વીતી જતા 
છતાં અમારા માતા-પિતાના
પાવન પગલાં ક્યારેય 
અમારી સ્કૂલ તરફ પડતા ન હતાં.

અને 
અમારા દોસ્તો મજાના હતા.

જ્યારે 
સાયકલ લઈને જતા હતા ત્યારે
એકને ડંડા પર અને બીજાને
કેરિયર પર બેસાડતા  
અમે કેટલીયે મંઝિલો ખેડી હશે,
એ અમને યાદ નથી ...

પરંતુ 
થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો
અમારી સ્મૃતિ પટલ પર છે...!

એ જમાનામાં 
ટેલિવિઝન નવાનવા આવ્યા હતા.
કોઈક કોઈકના ઘરે જ ટેલિવિઝન હતા.
જોવા જઈએ તો 
ક્યારેક ક્યારેક 
અમને કાઢી મૂકવામાં પણ આવતા.
છતાં અમને ક્યારેય
અપમાન જેવું લાગતું ન હતું

નિશાળમાં 
શિક્ષકનો માર ખાતા કે
અંગૂઠા પકડતા
ક્યારેય શરમ કે સંકોચ
નથી અનુભવ્યો કારણ કે ....

તે વખતે ક્યારેય 
અમારો "ઇગો" હર્ટ નહોતો થતો.
કારણ કે ... 
અમને ખબર જ નહોતી કે  
ઇગો કઈ બલાનું નામ છે ?

માર ખાવો 
એ અમારા જીવનની 
દૈનિક 
સહજ પ્રક્રિયાનો ભાગ હતો...!

મારવાવાળો 
અને માર ખાવાવાળો..
બંને ખુશ થતા હતા કારણ કે ..

એકને એમ હતું 
કે ઓછો માર ખાધો ..
અને બીજાને એમ થતું હતું 
કે 
અમારો હાથ સાફ થઈ ગયો..!
આમ બંને ખુશ...!

અમે ક્યારેય 
અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને 
એવું ન બતાવી શક્યા કે ...
અમે તેમને 
કેટલો પ્રેમ કરીએ છીએ.

આજે અમે 
દુનિયાના ઉતાર-ચઢાવનો હિસ્સો બની ચૂક્યા છીએ

અમે 
જે જીવન જીવીને આવ્યા છીએ,
તેની સામે 
હાલનું જીવન કાંઈ જ નથી.

અમે સારા હતા કે ખરાબ....
એ ખબર નથી 
પણ...
અમારો પરિવાર 
અને અમારા મિત્રો 
એક સાથે હતા 
એ જ મહત્વનું હતું...!
                   🌴🌻

Tuesday, December 22, 2020

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 'સોને કી ચિડિયા' જેવા ભારતને ગુલામ કઈ રીતે બનાવ્યું હતું?

    સોળમી સદીનું તે અંતિમ વર્ષ હતું. દુનિયાના કુલ ઉત્પાદનમાં એકલા ભારતનો એક ચતુર્થાંશ હિસ્સો હતો.

તેથી જ ભારતને 'સોનાની ચિડિયા' કહેવામાં આવતું હતું. તે સમયે દિલ્હીની ગાદી પર મોગલ બાદશાહ જલાલુદ્દીન મહમંદ અકબર બિરાજમાન હતા.

તેઓ દુનિયાના સૌથી ધનાઢ્ય બાદશાહો પૈકી એક હતા. બીજી તરફ તે સમયે બ્રિટન ગૃહયુદ્ધમાંથી બહાર નીકળી રહ્યું હતું.

તેનું અર્થતંત્ર ખેતી પર આધારિત હતું અને દુનિયાના કુલ ઉત્પાદનમાં બ્રિટનના માલનો હિસ્સો માત્ર ત્રણ ટકા હતો.

બ્રિટનમાં તે સમયે મહારાણી વિક્ટોરિયા પ્રથમનું શાસન હતું. બ્રિટનને પાછળ રાખીને યુરોપના સૌથી શક્તિશાળી દેશો પોર્ટુગલ અને સ્પૅન આગળ નીકળી ગયા હતા.

બ્રિટનના ચાંચિયાઓ વેપારીઓના સ્વાંગમાં પોર્ટુગલ અને સ્પૅનના વ્યાપારી જહાજોને લૂંટીને સંતોષ માનતા હતા.

તે સમયે પ્રવાસી બ્રિટિશ વેપારી રાલ્ફ ફિચને હિંદ મહાસાગર, મૅસોપોટેમિયા, ઈરાનની ખાડી અને દક્ષિણ પૂર્વ એશિયાના વ્યાપારીપ્રવાસ કરતી વખતે ભારતની સમૃદ્ધિ વિશે જાણવા મળ્યું.

રાલ્ફ ફિચનો પ્રવાસ એટલો લાંબો હતો કે તેઓ બ્રિટન પરત પહોંચ્યા તે પહેલાં તેમને મૃત માનીને તેમની વસિયત પણ લાગુ કરી દેવાઈ હતી.

પૂર્વમાંથી મરી-મસાલા મેળવવા માટે લૅવેન્ટ નામની કંપની બે વખત નિષ્ફળ પ્રયાસ કરી ચૂકી હતી.

ભારત વિશે રાલ્ફ ફિચે આપેલી માહિતીના આધારે અન્ય એક પ્રવાસી સર જૅમ્સ લૅકેસ્ટર સહિત બ્રિટનના 200થી વધુ પ્રભાવશાળી અને વ્યવસાયીઓને આ દિશામાં આગળ વધવાનો વિચાર આવ્યો.

31 ડિસેમ્બર 1600ના રોજ તેમણે એક નવી કંપની સ્થાપી અને પૂર્વ એશિયામાં વ્યાપાર કરવા મહારાણી પાસેથી મૉનોપોલી મેળવી.

આ કંપનીનાં ઘણાં નામ છે, પરંતુ તેને 'ઇસ્ટ ઇન્ડિયા કંપની'ના નામથી ઓળખવામાં આવે છે.
શરૂઆતનાં વર્ષોમાં જુદાજુદા દેશોની સફર ખેડ્યા પછી ઑગસ્ટ 1608માં કૅપ્ટન વિલિયમ હૉકિન્સે ભારતના સુરત બંદરે પોતાના જહાજ 'હૅક્ટર'નું લંગર નાખ્યું અને 'ઇસ્ટ ઇન્ડિયા' કંપનીના આગમનની જાહેરાત કરી.

હિંદ મહાસાગરમાં બ્રિટનના વ્યાપારી હરીફ તરીકે ડચ અને પોર્ટુગીઝ વેપારીઓ પહેલેથી હાજર હતા. તે સમયે કોઈને અંદાજ ન હતો કે આ કંપની પોતાના દેશ કરતાં વિસ્તારમાં વીસ ગણા મોટા અને વિશ્વના સૌથી ધનાઢ્ય દેશો પૈકી એક દેશ પર શાસન કરશે અને તેની લગભગ ચોથા ભાગની પ્રજા પર સીધું રાજ કરશે.

ત્યાં સુધીમાં બાદશાહ અકબરનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તે સમયે સંપત્તિના મામલે માત્ર ચીનના મિંગ રાજવંશના બાદશાહ જ અકબરની બરાબરી કરી શકે તેમ હતા.

ખાફી ખાન નિઝામુલ-મુલ્કના પુસ્તક 'મુંતખબુલ-બાબ' પ્રમાણે અકબર પોતાની પાછળ 5,000 હાથી, 12,000 ઘોડા, 1,000 ચિત્તા, દશ કરોડ રૂપિયા, સો તોલાથી લઈને પાંચસો તોલા સુધીના 2,000 મોટા સિક્કા, 272 મણ કાચું સોનું, 370 મણ ચાંદી, ત્રણ કરોડ રૂપિયાના મૂલ્યનું એક મણ ઝવેરાત છોડી ગયા હતા.
અકબરના શાહજાદા સલીમ, નુરુદ્દીન જહાંગીરનું બિરુદ ધારણ કરીને ગાદી પર આવી ગયા હતા. શાસનમાં સુધારા કરીને કાન, નાક અને હાથ કાપવાની સજા સમાપ્ત કરવામાં આવી હતી.

જનતા માટે શરાબ અને બીજા નશીલા પદાર્થોના સેવનની મનાઈ હતી. ખાસ દિવસોમાં પશુહત્યા પર પ્રતિબંધના આદેશ હતા. અનેક ગેરવાજબી કરવેરા પણ નાબૂદ કરવામાં આવ્યા હતા.

રસ્તા, કૂવા અને ધર્મશાળાઓ બાંધવામાં આવી રહી હતી. ઉત્તરાધિકારના કાયદાનું સખતાઈથી પાલન થવા લાગ્યું. દરેક શહેરના સરકારી દવાખાનામાં મફત સારવારના આદેશ અપાઈ ગયા હતા.

ફરિયાદીઓ ફરિયાદ કરી શકે તે માટે મહેલની દિવાલ પર ન્યાયનો ઘંટ લટકાવવામાં આવ્યો હતો.
રહ્યા છે

વિશ્વવિખ્યાત ઇતિહાસકાર વિલિયમ ડૅલરિમ્પલે જણાવ્યા પ્રમાણે હૉકિન્સને થોડા જ સમયમાં સમજાઈ ગયું કે યુરોપમાં જે રીતે યુદ્ધ લડાય છે તેવું યુદ્ધ 40 લાખની મોઘલ સેના સામે લડી શકાય નહીં.

તેથી અહીં તેમને મોઘલ બાદશાહની મંજૂરીની સાથે સહયોગની પણ જરૂર હતી. હૉકિન્સ એક વર્ષની અંદર મોઘલોની રાજધાની આગ્રા પહોંચ્યા. ઓછું ભણતર ધરાવતા હૉકિન્સને જહાંગીરે વેપાર કરવાની મંજૂરી ન આપી.

ત્યાર પછી સંસદસભ્ય અને રાજદૂત સર થૉમસ રૉને શાહી દૂત તરીકે મોકલવામાં આવ્યા. તેમણે બાદશાહને કિંમતી ભેટસોગાદો આપી, જેમાં શિકારી કૂતરાં અને તેમનો મનપસંદ શરાબ પણ સામેલ હતો.

બ્રિટન સાથે સંબંધ સ્થાપવા એ જહાંગીરની પ્રાથમિકતાઓમાં નહોતું. થૉમસ રૉ અનુસાર જ્યારે પણ જહાંગીર સાથે વાતચીત થતી ત્યારે બાદશાહ તેમની સાથે વ્યાપારના બદલે ઘોડા, કળાકૃતિઓ અને શરાબ વિશે ચર્ચા કરવા લાગતા હતા.

ત્રણ વર્ષ સુધી સતત ચર્ચા અને વિનંતીઓ પછી સર થૉમસ રૉને તેમાં સફળતા મળી. જહાંગીરે ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે એક વ્યાપારી સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા.
આ સમજૂતિ હેઠળ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટનના તમામ વેપારીઓને ઉપખંડના દરેક બંદર અને ખરીદ-વેચાણ માટે જગ્યાનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તેના બદલામાં ભારતને યુરોપીયન ઉત્પાદનો પૂરાં પાડવાનું વચન આપવામાં આવ્યું. પરંતુ ત્યારે યુરોપમાં બનતું જ શું હતું?

એવું નક્કી કરવામાં આવ્યું કે કંપનીના જહાજો રાજમહેલ માટે જે પ્રાચીન ચીજવસ્તુઓ અને ભેટ લાવશે તેનો સહર્ષ સ્વીકાર કરવામાં આવશે.

કંપનીના વેપારીઓ મોઘલોની મંજૂરીથી ભારતમાંથી કપાસ, ગળી, પોટેશિયમ નાઇટ્રેટ અને ચા ખરીદતા હતા. વિદેશમાં તેને ઊંચા ભાવે વેચીને ભારે નફો કમાતા હતા.

કંપનીનો મૂડી આધાર વ્યાપારી મૂડીનો હતો. કંપની જે વસ્તુ ખરીદતી તેના બદલામાં ચાંદી આપતી હતી. આ ચાંદી તેમણે 1621થી 1843 સુધી સ્પૅન અને યુએસએમાં ગુલામો વેચીને એકઠી કરી હતી.
સમ્રાટ જહાંગીરના દરબારમાં સર થૉમસ રો

વર્ષ 1670માં બ્રિટિશ સમ્રાટ ચાર્લ્સ દ્વિતિયે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વિદેશમાં યુદ્ધ લડવાની અને પોતાની કૉલોની (ઉપનિવેશ) સ્થાપવાની મંજૂરી આપી.

બ્રિટિશ સેનાએ ભારતમાં પોર્ટુગલ, ફ્રાન્સ અને ડચ હરીફોનો મુકાબલો કર્યો અને મોટા ભાગના યુદ્ધમાં જીત મેળવી. ધીમેધીમે તેમણે બંગાળના કિનારાવર્તી વિસ્તારોને પોતાના નિયંત્રણમાં લીધા.

પરંતુ 17મી સદીમાં મોઘલો સાથે માત્ર એક વખત તેમનો સામનો થયો હતો. વર્ષ 1681માં કંપનીના કર્મચારીઓએ કંપનીના વડા સર ચાઇલ્ડને ફરિયાદ કરી કે બંગાળમાં મોઘલ બાદશાહ ઔરંગઝેબ આલમગીરના ભાણેજ નવાબ શાઇસ્તાખાનના અધિકારીઓ તેમને કરવેરા અને બીજા મામલે પરેશાન કરે છે.

સર ચાઇલ્ડે સૈન્ય મદદ મોકલવા માટે પોતાના સમ્રાટને પત્ર લખ્યો. ત્યાર પછી 1686માં 19 યુદ્ધજહાજ, 200 તોપ અને 600 સૈનિકો સાથે એક નૌકાદળનું એકમ બંગાળની ખાડી તરફ રવાના થયું.

મોઘલ બાદશાહની સેના પણ તૈયાર હતી તેથી યુદ્ધમાં મોઘલોનો વિજય થયો.

1695માં બ્રિટનના ચાંચિયા હૅનરી ઍવરીએ ઔરંગઝેબના સમુદ્રી જહાજ 'ફતેહ મહંમદ' અને 'ગુલામ સવાઈ'ને લૂંટી લીધાં. આ ખજાનાની કિંમત લગભગ છથી સાત લાખ બ્રિટિશ પાઉન્ડ હતી
ઇતિહાસકાર વિલિયમ ડૅલરિમ્પલ લખે છે કે બ્રિટિશ સૈનિકોને મોઘલ સેનાએ માખીઓની જેમ માર્યા. બંગાળમાં કંપનીનાં પાંચ કારખાનાં નષ્ટ કરવામાં આવ્યાં અને તમામ અંગ્રેજોને બંગાળથી બહાર હાંકી કાઢવામાં આવ્યા.

સુરતનાં કારખાનાં બંધ કરવામાં આવ્યાં અને મુંબઈમાં પણ તેમના આવા જ હાલ થયા. કંપનીના કર્મચારીઓને સાંકળોમાં બાંધીને શહેરમાં ફેરવવામાં આવ્યા અને અપરાધીઓની જેમ તેમને અપમાનિત કરવામાં આવ્યા.

ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસે માફી માગવા અને પોતાનાં કારખાનાં પરત મેળવવા માટે બાદશાહના દરબારમાં ભીખારીઓની જેમ ઉપસ્થિત થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

બ્રિટિશ સમ્રાટે સત્તાવાર રીતે હૅનરી ઍવરીની ટીકા કરી અને મોઘલ બાદશાહની માફી માગી. ઔરંગઝેબ આલમગીરે 1690માં કંપનીને માફ કરી દીધી.

સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની ચીનમાં રેશમ અને ચિનાઈ માટીનાં વાસણો ખરીદતી હતી. સામાનની ચૂકવણી ચાંદી દ્વારા કરવી પડતી હતી કારણ કે કંપની પાસે એવું કોઈ ઉત્પાદન નહોતું જેની ચીનને જરૂર હોય.

તેનો એક ઉપાય શોધવામાં આવ્યો. બંગાળમાં ખસખસની ખેતી કરવામાં આવી અને બિહારમાં અફીણ બનાવવા માટે કારખાનાં સ્થાપવામાં આવ્યાં. આ અફીણને તસ્કરીથી ચીન પહોંચાડવામાં આવ્યું.

તે સમયે ચીનમાં અફીણનો બહુ ઓછો ઉપયોગ થતો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ચાઇનીઝ એજન્ટો મારફત લોકોમાં અફીણના સેવનને પ્રોત્સાહન આપ્યું. કંપનીએ અફીણના વેપાર દ્વારા રેશન અને ચિનાઈ માટીનાં વાસણો પણ ખરીદ્યાં અને નફો પણ કમાયો
ચીન સરકારે જ્યારે અફીણના વેપારને અટકાવવાનો પ્રયાસ કર્યો અને ચીન આવેલા અફીણનો નાશ કર્યો ત્યારે ચીન અને બ્રિટન વચ્ચે અનેક યુદ્ધ થયાં. તેમાં ચીનનો પરાજય થયો અને બ્રિટને અપમાનજનક શરતો સાથે ચીન સાથે ઘણી સમજૂતિઓ કરી.

આ રીતે નષ્ટ કરવામાં આવેલા અફીણ સામે વળતર વસૂલવામાં આવ્યું. ચીનનાં બંદરો કબજે કરવામાં આવ્યાં. હૉંગકૉંગ પર બ્રિટનનું આધિપત્ય આવી વસૂલાતનો જ ભાગ હતું.

ચીનની સરકારે જ્યારે વિરોધ કર્યો અને મહારાણી વિક્ટોરિયાને પત્ર લખીને અફીણનો વેપાર રોકવા માટે મદદ માગી ત્યારે તે પત્રનો કોઈ જવાબ ન આવ્યો.
1707માં બાદશાહ ઔરંગઝેબના મૃત્યુ પછી વિવિધ પ્રદેશોમાં લોકો એકબીજાની વિરુદ્ધ થઈ ગયા.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આ સ્થિતિનો લાભ લીધો અને લાખોની સંખ્યામાં સ્થાનિક લોકોને પોતાની સેનામાં ભરતી કર્યા.

યુરોપમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના કારણે યુદ્ધની ટેકનૉલૉજીમાં અંગ્રેજો કુશળ થઈ ગયા. તેઓ પોતાની નાની પરંતુ આધુનિક સેના દ્વારા જૂની ટેકનૉલૉજી ધરાવતી મોઘલ, મરાઠા, શીખ અને સ્થાનિક નવાબોની મોટી સેનાઓને સતત હરાવવા લાગ્યા.

1756માં નવાબ સિરાઝ-ઉદ-દૌલા ભારતના સૌથી ધનાઢ્ય અને અર્ધસ્વાયત્ત રાજ્ય બંગાળના શાસક બન્યા. મોઘલ શાસનની મહેસૂલી આવકનો 50 ટકા હિસ્સો આ રાજ્યમાંથી આવતો હતો.

બંગાળ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કાપડ અને જહાજના નિર્માણક્ષેત્રે મુખ્ય કેન્દ્ર હતું.

આ પ્રદેશના લોકો રેશમ, સુતરનાં વસ્ત્રો, પોલાદ, પૉટેશિયમ નાઇટ્રેટ અને કૃષિ તથા ઔદ્યોગિક ચીજવસ્તુઓની નિકાસ કરીને સારી એવી કમાણી કરતા હતા.

કંપનીએ કલકત્તામાં પોતાના કિલ્લા વિસ્તારવાની શરૂઆત કરી અને પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી.

નવાબે કંપનીને સંદેશ મોકલીને પોતાના ક્ષેત્રને ન વિસ્તારવા માટે જણાવ્યું. પરંતુ તેમનો આદેશ માનવામાં ન આવતા નવાબે કલકત્તા પર હુમલો કર્યો અને બ્રિટિશ કિલ્લાને કબજે કર્યો. બ્રિટિશ કેદીઓને ફૉર્ટ વિલિયમની અંધારી કોટડીમાં કેદ કરવામાં આવ્યા હતા.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની સેનાના સેનાપતી મીર જાફરને પોતાની સાથે કરી લીધા. મીર જાફરના મનમાં શાસક બનવાની ઇચ્છા હતી. 23 જૂન 1757ના રોજ પ્લાસીના મેદાનમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની અને નવાબની સેના વચ્ચે લડાઈ થઈ.

તોપની મોટી સંખ્યા અને મીર જાફરની દગાખોરીના કારણે અંગ્રેજો વિજયી થયા અને મીર જાફરને બંગાળની ગાદી પર બેસાડવામાં આવ્યા. અંગ્રેજો હવે મીરજાફર પાસેથી વેરો વસૂલવા લાગ્યા અને આ રીતે ભારતમાં લૂંટફાટના યુગની શરૂઆત થઈ.
મીર જાફરનો ખજાનો ખાલી થવા લાગ્યો ત્યારે તેમણે કંપનીથી પીછો છોડાવવા માટે ડચ સેનાની મદદ લીધી. 1759માં અને ત્યાર પછી 1764માં વિજય થવાની સાથે કંપનીએ બંગાળનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો.

તેમણે નવાનવા કરબોજ નાખ્યા, બંગાળનો સામાન સસ્તામાં ખરીદીને બીજા દેશોમાં મોંઘા ભાવે વેચવા લાગ્યા. સ્કૉલર વજાહત મસૂદ લખે છે કે અઢારમી સદીના પૂર્વાર્ધમાં બ્રિટિશ વેપારીઓ ચાંદીના સિક્કા આપીને ભારતીયો પાસેથી કપાસ અને ચોખા ખરીદતા હતા.

પ્લાસીના યુદ્ધ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નાણાકીય અને મહેસૂલી વ્યવસ્થાનો ફાયદો ઉઠાવીને ભારત સાથેના વેપારમાં એકાધિકાર અથવા મૉનોપોલી મેળવી.

એવી વ્યવસ્થા કરવામાં આવી કે ભારતીયો પાસેથી મળતી આવકનો લગભગ ત્રીજો ભાગ ભારતીય ઉત્પાદનો ખરીદવા માટે ખર્ચ કરવામાં આવશે.

આ રીતે ભારતના લોકો જે મહેસૂલ આપતા હતા તેમાંથી એક તૃતિયાંશ ભાગના બદલામાં તેમને પોતાનું ઉત્પાદન વેચવા માટે ફરજ પાડવામાં આવતી હતી.
ઇતિહાસકાર, વિવેચક અને પત્રકાર બારી અલીગે પોતાના પુસ્તક 'કંપની કી હકુમત'માં લખ્યું છે, "દુનિયાના તમામ દેશોના વેપારીઓ ભારત સાથે વેપાર કરવા માગતા હતા. ભદ્ર વર્ગના લોકોમાં ઢાકા અને મુર્શિદાબાદના મલમલનો ઉપયોગ એ તેમની મહાનતા અને શ્રેષ્ઠતાનો પૂરાવો ગણવામાં આવતું હતું. યુરોપના તમામ દેશોમાં આ બે શહેરનાં મલમલ અને ચિકન બહું લોકપ્રિય હતાં."

ભારતના અન્ય ઉદ્યોગોની સરખામણીમાં કાપડઉદ્યોગ ઘણી સારી સ્થિતિમાં હતો. ભારતમાંથી સુતર અને ઊનનાં કપડાં, શાલ, મલમલ અને ભરતકામની પણ નિકાસ કરવામાં આવતી હતી.

રેશમ અને રેશમ પર કરવામાં આવતાં સોના-ચાંદીના કામ માટે અમદાવાદ આખી દુનિયામાં વિખ્યાત હતું. અઢારમી સદીમાં ઇંગ્લૅન્ડમાં આ કાપડની એટલી માગ હતી કે સરકારે તેને રોકવા માટે ભારે વેરો ઝીંકવો પડ્યો હતો.

કાપડના વણાટકામ ઉપરાંત લોખંડને લગતા કામમાં પણ ભારતે ઘણી પ્રગતિ કરી હતી. લોખંડમાંથી બનેલો સામાન વિદેશ મોકલવામાં આવતો હતો.

મોઘલ બાદશાહ ઔરંગઝેબના શાસનકાળમાં મુલ્તાનમાં જહાજો માટે લોખંડનાં લંગર બનાવવામાં આવતાં હતાં. બંગાળ જહાજનિર્માણમાં ઘણું આગળ હતું.
એક અંગ્રેજના શબ્દોમાં કહીએ તો, "આપણા શાસન પહેલાં ભારતીયો બહુ સુખી જીવન જીવતા હતા તે સમજવું એક સામાન્ય અંગ્રેજ માટે મુશ્કેલ છે."

"વ્યાપારી અને સાહસી લોકો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હતી. મને પૂરો વિશ્વાસ છે કે અંગ્રેજોના આગમન અગાઉ ભારતીય વેપારીઓ અત્યંત આરામદાયક જીવન જીવતા હતા."

"ઔરંગઝેબના શાસનકાળમાં સુરત અને અમદાવાદથી જે માલની નિકાસ કરવામાં આવતી હતી તેનાથી ક્રમશઃ તેર લાખ એકસોથી લઈને ત્રણ લાખ રૂપિયાની વાર્ષિક મહેસુલી આવક થતી હતી."

ઇસ્ટ ઇન્ડિયા કંપની એક વ્યાપારી કંપની હતી પરંતુ તેની પાસે અઢી લાખ સૈનિકોની એક સેના હતી. જ્યાં વેપારથી ફાયદો થવાની શક્યતા ન હોય ત્યાં તેઓ સેના દ્વારા લાભ મેળવતા હતા.

કંપનીની સેનાએ ત્યાર પછીનાં 50 વર્ષમાં ભારતના મોટા ભાગના વિસ્તાર પર કબજો મેળવ્યો હતો.

આ પ્રદેશોમાં કંપનીને કર ચૂકવતા રહે તેવા સ્થાનિક શાસકો ગોઠવવામાં આવ્યા. પ્રત્યક્ષ રીતે સ્થાનિક શાસકો સત્તા સંભાળતા હતા, પરંતુ હકીકતમાં રાજ્યની મોટાભાગની મહેસૂલી આવક અંગ્રેજોની તિજોરીમાં જતી હતી. પ્રજા લાચાર હતી.

ઑગસ્ટ 1765માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મોઘલ બાદશાહ શાહઆલમને હરાવ્યા. લૉર્ડ ક્લાઇવે વાર્ષિક 26 લાખ રૂપિયાના બદલામાં પૂર્વના પ્રાંતો બંગાળ, બિહાર અને ઓરિસ્સાના 'દીવાની' એટલે કે મહેસૂલી આવક મેળવવાના અને જનતાને નિયંત્રિત કરવાના હક્ક મેળવી લીધા. ત્યાર પછી ભારત કંપનીના શાસન હેઠળ આવી ગયું.

ઇતિહાસકાર સૈયદ હસન રિયાઝ જણાવે છે કે તે સમયમાં પ્રજામાં એક ધારણા પ્રચલિત હતી, "દુનિયા ખુદાની, મુલ્ક બાદશાહનો અને હુકમ કંપની બહાદુરનો."
મોઘલ શાસનના અંતિમ સમયમાં જનતાનું લોહી ચૂસીને જે નાણાં એકઠા કરવામાં આવતાં હતાં તેનો ઉપયોગ શાહી પરિવારના ભોગવિલાસ પાછળ થતો હતો.

મોઘલ શાહજાદા, જેને સુલ્તાન કહેવામાં આવતા હતા, તેઓ પોતાની આળસ, નિષ્ક્રિયતા, કાયરતા અને ભોગવિલાસ માટે જાણીતા હતા.

ઇતિહાસકાર ડૉક્ટર મુબારક અલી પોતાના પુસ્તક 'આખરી યુગ કા મોઘલ હિંદુસ્તાન'માં લખે છે કે "નૃત્ય અને સંગીતની મહેફીલોમાં સર્વસ્વ લૂંટાવીને દાદ દેનારા નકામા સુલ્તાનોની સંખ્યા 2104 સુધી પહોંચી ગઈ હતી. શાહઆલમનો પુત્ર અકબર પણ કામુકતામાં પોતાના બાપ કરતાં ઓછો ન હતો. અઢાર વર્ષની ઉંમરે તે અઢાર બેગમો ધરાવતો હતો."

અઢારમી સદીમાં 1769થી 1773 સુધી બિહારથી લઈને બંગાળ સુધીનો દક્ષિણનો પ્રદેશ દુષ્કાળગ્રસ્ત હતો. એક અંદાજ પ્રમાણે દુષ્કાળમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. ગવર્નર-જનરલ વૉરેન હૅસ્ટિંગ્સના એક રિપોર્ટ પ્રમાણે એક તૃતિયાંશ લોકો ભૂખમરાથી માર્યા ગયા હતા.

પ્રતિકૂળ હવામાન ઉપરાંત ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ લાદેલા ઊંચા કરવેરાએ ગામડાંના લોકોની કમર તોડી નાખી હતી. નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન અનુસાર બંગાળનો દુષ્કાળ માનવનિર્મિત હતો.

કોઈ પણ વિવાદ થાય તો ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થાનિક શાસકોને પોતાની સેના ભાડેથી આપતી હતી. પરંતુ આ સૈન્ય ખર્ચના બોજના કારણે તેઓ તરત કંગાળ થઈ જતા અને પછી પોતાનું શાસન ગુમાવવું પડતું હતું.
આ રીતે કંપની સતત પોતાનો ક્ષેત્ર વિસ્તારતી જતી હતી. કંપનીએ માનવઆપત્તિઓનો પણ ફાયદો ઉઠાવ્યો. જે ચોખા એક રૂપિયામાં 120 શેર મળતા હતા તે બંગાળના દુષ્કાળ દરમિયાન એક રૂપિયામાં માત્ર ત્રણ શેર મળવા લાગ્યા.

એક જુનિયર અધિકારીએ આ રીતે 60,000 પાઉન્ડનો નફો મેળવ્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના 120 વર્ષના શાસનકાળ દરમિયાન 34 વખત દુષ્કાળ પડ્યો હતો.

મોઘલ શાસન દરમિયાન દુષ્કાળ પડતો ત્યારે લોકો પર વેરો ઘટાડી દેવામાં આવતો. પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ દુષ્કાળ દરમિયાન કરવેરો વધારી દીધો. લોકો અનાજ માટે પોતાનાં બાળકો પણ વેચવા લાગ્યા.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક કર્મચારી શેખ દીન મોહમ્મદે પોતાના પ્રવાસવર્ણનમાં લખ્યું છે કે "વર્ષ 1780ની આસપાસ અમારી સેના જ્યારે આગળ વધી રહી હતી ત્યારે અમે ઘણા હિંદુ યાત્રાળુઓને જોયા જેઓ સીતાકુંડ જઈ રહ્યા હતા. 15 દિવસમાં અમે મુંગેરથી ભાગલપુર પહોંચી ગયા."

"અમે શહેરની બહાર તંબૂ તાણ્યા. આ શહેર ઔદ્યોગિક રીતે મહત્ત્વપૂર્ણ હતું અને વેપારના રક્ષણ માટે તેની પાસે પોતાનું એક સૈન્ય પણ હતું."

"અમે ચાર-પાંચ દિવસ ત્યાં રોકાયા. અમને જાણવા મળ્યું કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કૅપ્ટન બ્રૂક, જેઓ સૈનિકોની પાંચ કંપનીઓના વડા હતા, તેઓ પણ નજીકમાં જ રોકાયા હતા. તેમને ક્યારેક પહાડી આદિવાસીઓનો સામનો કરવો પડતો હતો."

"આ પહાડી લોકો ભાગલપુર અને રાજમહેલ વચ્ચેની ટેકરીઓ પર રહેતા હતા અને ત્યાંથી પસાર થતા યાત્રાળુઓને પરેશાન કરતા હતા. કૅપ્ટન બ્રૂકે તેમાંના ઘણા બધા લોકોને પકડ્યા અને તેમને એક દૃષ્ટાંતરૂપ બનાવી દેવાયા."

"કેટલાકને જાહેરમાં કોરડા ફટકારવામાં આવ્યા અને અમુકને એવી રીતે ફાંસીએ લટકાવવામાં આવ્યા કે પહાડ પરથી તેમને સ્પષ્ટ રીતે જોઈ શકાય જેથી તેમના સાથીદારોના મનમાં ભય બેસી જાય."
ત્યાંથી અમે આગળ વધ્યા અને અમે જોયું કે પહાડ પર દરેક મહત્ત્વની જગ્યાએ દર અડધા માઇલના અંતરે તેમના મૃતદેહ લટકતા હતા."

"અમે સુકલી ગઢી અને તલિયા ગઢીના માર્ગથી રાજમહેલ પહોંચ્યા. ત્યાં થોડા દિવસ રોકાયા. અમારી સેના ભારે મોટી હતી, પરંતુ પાછળથી વેપારીઓ પર કેટલાક પહાડી આદિવાસીઓએ હુમલો કર્યો. અમારા સિપાહીઓએ તેમનો પીછો કર્યો."

"ઘણા લોકોને મારી નાખવામાં આવ્યા. લગભગ ત્રીસ કે ચાલીસ લોકોને પકડી લેવાયા. બીજા દિવસે સવારે જ્યારે શહેરના લોકો હંમેશાંની જેમ હાથી, ઘોડા અને બળદ માટે ઘાસચારો ખરીદવા અને બળતણ માટે લાકડાં ખરીદવા પહાડીઓ પાસે ગયા ત્યારે પહાડી લોકોએ તેમના પર હુમલો કરી દીધો."

"સાત કે આઠ લોકો માર્યા ગયા. પહાડી લોકો પોતાની સાથે ત્રણ હાથી, કેટલાક ઘોડા, ઊંટ અને બળદ પણ લઈ ગયા."

"અમારા સશસ્ત્ર સૈનિકોએ વળતી કાર્યવાહીમાં ઘણા પહાડી લોકોને મારી નાખ્યા જેઓ તીરકમાન અને તલવારોથી લડતા હતા."

"200 પહાડીઓને બંદી બનાવવામાં આવ્યા. તેમની તલવારનું વજન 15 પાઉન્ડ હતું જે હવે અમારી જીતની ટ્રૉફી બની ચૂકી હતી. કર્નલ ગ્રાન્ટના હુકમ પ્રમાણે તે પહાડીઓ પર ભારે અત્યાચાર ગુજારવામાં આવ્યો. અનેકનાં નાક-કાન કાપી નાખવામાં આવ્યાં. કેટલાકને ફાંસી આપવામાં આવી. ત્યાર પછી અમે કલકત્તા તરફ પોતાની કૂચ ચાલુ રાખી."
માત્ર મૈસુરના શાસક ટીપુ સુલતાને ફ્રાન્સના તકનીકી સહયોગ દ્વારા ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વાસ્તવિક મુકાબલો કર્યો અને કંપનીને બે યુદ્ધમાં પરાજય આપ્યો.

પરંતુ ભારતના અન્ય શાસકોને પોતાની સાથે ભેળવીને ટીપુ સુલતાન પર પણ કાબૂ મેળવી લેવાયો.

જ્યારે કંપનીના ગવર્નર જનરલ લૉર્ડ વૅલેસ્લીને 1799માં ટીપુ સુલતાનના મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા ત્યારે તેમણે પોતાનો ગ્લાસ હવામાં ઉછાળીને કહ્યું કે "આજે હું ભારતની લાશ પર ઉજવણી કરી રહ્યો છું."

લૉર્ડ વૅલેસ્લીના કાર્યકાળમાં જ કંપનીને પોતાના સૈન્યવિજય છતાં નાણાકીય સંકટનો સામનો કરવો પડ્યો હતો. કંપની પરનું દેવું ત્રણ કરોડ પાઉન્ડને પાર કરી ગયું હતું.

કંપનીના નિર્દેશકે વૅલેસ્લીના નકામા ખર્ચ વિશે સરકારને પત્ર લખ્યો અને તેમને બ્રિટન પાછા બોલાવી લેવાયા.

વર્ષ 1813માં બ્રિટિશ સંસદે ભારતમાં વેપાર પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીની મૉનોપોલી ખતમ કરી અને બીજી બ્રિટિશ કંપનીઓને વ્યાપાર કરવા તથા થાણાં સ્થાપવાની મંજૂરી આપી.
બ્રિટનની સંસદે 1813માં થૉમસ મૂનરોને પૂછ્યું કે ઔદ્યોગિક ક્રાંતિ થવા છતાં બ્રિટનમાં બનેલું કાપડ ભારતમાં કેમ નથી વેચાતું? ત્યારે તેમણે જવાબ આપ્યો કે ભારતના કપડાની ગુણવત્તા અનેકગણી વધારે છે. થૉમસ મૂનરોને 1820માં મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા હતા.

પરંતુ ત્યાર પછી બ્રિટનમાં બનેલા કાપડને લોકપ્રિય બનાવવા માટે ભારતના સદીઓ જૂના કાપડઉદ્યોગને નષ્ટ કરી દેવાયો. આ રીતે બ્રિટનમાંથી કાપડની નિકાસ 1815માં 25 લાખ પાઉન્ડ હતી તે 1822માં વધીને 48 લાખ પાઉન્ડ થઈ ગઈ.

કાપડનિર્માણનું કેન્દ્ર ગણાતા ઢાકાની વસતી દોઢ લાખથી ઘટીને માત્ર વીસ હજાર થઈ ગઈ. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંકે પોતાના 1834ના અહેવાલમાં લખ્યું છે કે અર્થશાસ્ત્રના ઇતિહાસમાં આવી વિકટ પરિસ્થિતિનાં કોઈ ઉદાહરણ જોવા નથી મળતાં. ભારતીય વણકરોનાં હાકડાંથી ભારતની ધરતી સફેદ થઈ ગઈ છે.

ખેડૂતોની આવક પર 66 ટકા વેરો લાદવામાં આવ્યો જે મોઘલયુગમાં 40 ટકા હતો.

નમક સહિતની દૈનિક વપરાશની ચીજવસ્તુઓ પર પર વેરો નાખવામાં આવ્યો. તેનાથી નમકનો ઉપયોગ અડધો થઈ ગયો. નમકનો ઉપયોગ ઘટવાથી ગરીબોના આરોગ્ય પર માઠી અસર પડી અને કૉલેરા તથા લૂ લાગવાથી થતાં મૃત્યુમાં ભારે વધારો થયો.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક નિર્દેશક હૅનરી જ્યૉર્જ ટકરે 1823માં લખ્યું હતું કે ભારતને એક ઔદ્યોગિક દેશના બદલે કૃષિ આધારિત દેશમાં રૂપાંતરિત કરવામાં આવે જેથી બ્રિટનમાં ઉત્પાદિત સામાન ભારતમાં વેચી શકાય.

1833માં બ્રિટિશ સંસદ દ્વારા એક કાયદો પસાર કરીને ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી વેપાર કરવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો અને તેને એક સરકારી નિગમમાં રૂપાંતરિત કરી દેવાઈ.
વિલિયમ ડેલરિમ્પલે પોતાના પુસ્તક 'ધ ઍનાર્કી, ધ રિલેન્ટલેસ રાઇઝ ઑફ ધ ઇસ્ટ ઇન્ડિયા કંપની'માં લખ્યું છે કે ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ઉદાહરણ છે જેમાં અઢારમી સદીના મધ્યમાં એક ખાનગી કંપનીએ પોતાની સેના અને નૌકાદળની મદદથી 20 કરોડની વસતી ધરાવતા આખા દેશને ગુલામ બનાવી દીધો હતો.

કંપનીએ ભારતમાં રસ્તા બનાવ્યા, પૂલ બનાવ્યા, આશ્રયસ્થળ બનાવ્યાં, રેલવે દોડાવી, પરંતુ ટીકાકારોનું કહેવું છે કે આ બધાથી લોકોને પરિવહનની સગવડ તો મળી, પરંતુ તેનો મૂળ હેતુ કપાસ, રેશમ, અફીણ, ખાંડ અને મસાલાના વેપારને ઉત્તેજન આપવાનો હતો.

1835ના અધિનિયમ હેઠળ અંગ્રેજી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે નાણાં ફાળવવામાં આવ્યાં હતાં. 1857ના સ્વતંત્રતા સંગ્રામ(કંપનીની નજરે બળવો) વખતે કંપનીએ હજારો લોકોને બજારોમાં અને રસ્તા પર ફાંસીએ લટકાવીને મારી નાખ્યા અને કેટલાય લોકોને કચડી નાખ્યા હતા.

બ્રિટિશ કૉલોની કે સંસ્થાનવાદના ઇતિહાસનો આ સૌથી મોટો નરસંહાર હતો. સ્વતંત્રતા સંગ્રામ પછીના વર્ષે બ્રિટનના મહારાણી વિક્ટોરિયાએ કંપનીના અધિકારોને સમાપ્ત કરીને સત્તાનો દોર સીધો પોતાના હાથમાં લઈ લીધો.

કંપનીની સેનાને બ્રિટિશ સેનામાં ભેળવી દેવામાં આવી. કંપનીના નૌકાદળને વિખેરી નાખવામાં આવ્યું. લૉર્ડ મૅકોલે મુજબ કંપની પહેલેથી જ વ્યાપાર ઉપરાંત રાજનીતિમાં પણ ભાગીદાર હતી તેથી 1874 સુધી કંપનીના છેલ્લા શ્વાસ ચાલુ રહ્યા.

તે જ વર્ષે બ્રિટિશ અખબાર 'ધ ટાઇમ્સ'એ બીજી જાન્યુઆરીના અંકમાં લખ્યું કે, "તેણે (કંપનીએ) માનવજાતના ઇતિહાસમાં એવું કામ કર્યું છે જે બીજી કોઈ કંપનીએ નથી કર્યું અને આવનારાં વર્ષોમાં કોઈ આવું કરે તેવી સંભાવના પણ નથી."
 લી મિતાલી ફેશન

Tuesday, November 24, 2020

અમેરિકાની એ ભૂલ જેણે તેને અવકાશમાં સુપરપાવર બનતાં રોકી દીધું


ચંદ્ર સુધી પહોંચવા માટે એક ચીની વૈજ્ઞાનિકે એક નહીં પરતું બે મહાસત્તાઓની મદદ કરી છે, પરંતુ આ વૈજ્ઞાનિકને માત્ર એક જ દેશમાં યાદ કરાય છે.


કવિતા પુરી લખે છે, શાંઘાઈમાં એક સંગ્રહાલયમાં 'સામાન્ય જનતાના વૈજ્ઞાનિક - કિયાન જ્યૂસેન'ના જીવન સાથે સંકળાયેલી 70,000 વસ્તુઓ મૂકવામાં આવી છે. આ સંગ્રહાલયમાં સંપૂર્ણપણે આ વસ્તુઓ જ સંગ્રહાયેલી છે.


કિયાન જ્યૂસેનને ચીનના મિસાઇલ અને અવકાશ પ્રોગ્રામના જનક ગણવામાં આવે છે. સંશોધનને પરિણામે ચીન અવકાશમાં પોતાનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરવા માટે તેના પ્રક્ષેપણ માટેનું રોકેટ બનાવી શક્યું. સાથે જ ચીનના પરમાણુ બેડામાં સામેલ મિસાઇલ બનાવવામાં તેમનું સંશોધન અગત્યનું પુરવાર થયું. તેમને ચીનમાં રાષ્ટ્રીય નાયક માનવામાં આવે છે.


પરંતુ અન્ય એક મહાસત્તા ગણાતા દેશમાં, જ્યાં તેમણે અભ્યાસ કર્યો અને એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું, ત્યાં તેમના નોંધપાત્ર યોગદાનને લોકો ભાગ્યે જ યાદ કરે છે.


કિયાનનો જન્મ 1911માં થયો હતો, આ એ સમય હતો જ્યારે ચીનના અંતિમ રાજપરિવારની સત્તા ગુમાવવાની જઈ રહ્યો હતો અને ચીન એક રાજાશાહી દેશમાંથી ગણતંત્ર બનવા તરફ અગ્રેસર હતું.


તેમનાં માતાપિતા શિક્ષિત હતાં અને જાપાનમાં નોકરી કર્યા બાદ, તેમના પિતાએ ચીનની રાષ્ટ્રીય શિક્ષણતંત્રની સ્થાપના કરી હતી. નાનપણથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે કિયાન ઘણા પ્રતિભાવાન છે અને તેમણે શાંઘાઈની જિયાઓ ટોંગ યુનિવર્સિટીમાં પ્રથમ આવીને દુર્લભ કહી શકાય એવી અમેરિકાની મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી માટેની શિષ્યવૃત્તિ હાંસલ કરી હતી.


1935ની સાલમાં આ સુઘડ અને વેલ-ડ્રેસ્ડ યુવાન બોસ્ટન આવી પહોંચે છે.

કિયાન જ્યૂસેન

ચંદ્ર સુધી પહોંચવા માટે એક ચીની વૈજ્ઞાનિકે એક નહીં પરતું બે મહાસત્તાઓની મદદ કરી છે, પરંતુ આ વૈજ્ઞાનિકને માત્ર એક જ દેશમાં યાદ કરાય છે.

કવિતા પુરી લખે છે, શાંઘાઈમાં એક સંગ્રહાલયમાં 'સામાન્ય જનતાના વૈજ્ઞાનિક - કિયાન જ્યૂસેન'ના જીવન સાથે સંકળાયેલી 70,000 વસ્તુઓ મૂકવામાં આવી છે. આ સંગ્રહાલયમાં સંપૂર્ણપણે આ વસ્તુઓ જ સંગ્રહાયેલી છે.

કિયાન જ્યૂસેનને ચીનના મિસાઇલ અને અવકાશ પ્રોગ્રામના જનક ગણવામાં આવે છે. સંશોધનને પરિણામે ચીન અવકાશમાં પોતાનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરવા માટે તેના પ્રક્ષેપણ માટેનું રોકેટ બનાવી શક્યું. સાથે જ ચીનના પરમાણુ બેડામાં સામેલ મિસાઇલ બનાવવામાં તેમનું સંશોધન અગત્યનું પુરવાર થયું. તેમને ચીનમાં રાષ્ટ્રીય નાયક માનવામાં આવે છે.

પરંતુ અન્ય એક મહાસત્તા ગણાતા દેશમાં, જ્યાં તેમણે અભ્યાસ કર્યો અને એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું, ત્યાં તેમના નોંધપાત્ર યોગદાનને લોકો ભાગ્યે જ યાદ કરે છે.

કિયાનનો જન્મ 1911માં થયો હતો, આ એ સમય હતો જ્યારે ચીનના અંતિમ રાજપરિવારની સત્તા ગુમાવવાની જઈ રહ્યો હતો અને ચીન એક રાજાશાહી દેશમાંથી ગણતંત્ર બનવા તરફ અગ્રેસર હતું.

તેમનાં માતાપિતા શિક્ષિત હતાં અને જાપાનમાં નોકરી કર્યા બાદ, તેમના પિતાએ ચીનની રાષ્ટ્રીય શિક્ષણતંત્રની સ્થાપના કરી હતી. નાનપણથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે કિયાન ઘણા પ્રતિભાવાન છે અને તેમણે શાંઘાઈની જિયાઓ ટોંગ યુનિવર્સિટીમાં પ્રથમ આવીને દુર્લભ કહી શકાય એવી અમેરિકાની મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી માટેની શિષ્યવૃત્તિ હાંસલ કરી હતી.

1935ની સાલમાં આ સુઘડ અને વેલ-ડ્રેસ્ડ યુવાન બોસ્ટન આવી પહોંચે છે.

ન્યૂમૅક્સિકો 1946ઇમેજ સ્રોત,ALAMY

ઇમેજ કૅપ્શન,

ન્યૂમૅક્સિકો 1946


અમેરિકન સૈન્યનું ધ્યાન સ્યૂસાઇડ સ્કવૉડ પર પડ્યું, જેમણે જેટની મદદથી ટૅક-ઑફના સંશોધન માટે નાણાં આપ્યાં. આ તકનીકમાં વિમાનની પાંખમાં બુસ્ટર લગાડવામાં આવતાં હતાં, જેથી તે ટૂંકા રનવેથી પણ હવામાં જઈ શકે.


સૈન્ય દ્વારા મળતી નાણાકીય મદદથી થિયોડોર વૅન કારમનના વડપણ હેઠળ 1943માં જેટ પ્રોપ્લશન લૅબની સ્થાપના કરવામાં આવી. કિયાન અને ફ્રેન્ક મલિના આ પ્રોજેક્ટની મુખ્ય વ્યક્તિ હતા.


ફ્રેસર મૅકડૉનાલ્ડ કહે છે, "કિયાન ચીની નાગરિક હતા, પરંતુ રિપબ્લિક ઑફ ચાઈના અમેરિકાનું મિત્ર હતું અને એટલા માટે અમેરિકન અવકાશકાર્યક્રમમાં એક ચીની વૈજ્ઞાનિકના કામ કરવા અંગે કોઈ શંકાશીલ નહોતું. કિયાનને વર્ગીકૃત હથિયારોના સંશોધન પર કામ કરવા માટેની સુરક્ષામંજૂરી આપવામાં આવી હતી અને અમેરિકન સરકારના વિજ્ઞાન સલાહકાર બૉર્ડમાં પણ તેમણે કામ કર્યું હતું."


યુદ્ધ પૂર્ણ થયું ત્યાં સુધીમાં તો તેઓ જેટ પ્રોપલ્શનના વિશ્વના અગ્રણી નિષ્ણાતોમાંના એક બની ગયા હતા. તેમને થિયોડોર વૅન કારમન સાથે એક અસાધારણ મિશન પર જર્મની મોકલવામાં આવ્યા અને મિશન માટે તેમને લેફ્ટનન્ટ કર્નલની અસ્થાયી પદવી આપવામાં આવી હતી.


તેમનું લક્ષ્ય નાઝી એંજિનિયરોનું ઇન્ટરવ્યૂ કરવાનું હતું, જેમાં જર્મનીના પ્રખ્યાત રૉકેટ વિજ્ઞાની વર્નહર વૉન બ્રોન પણ સામેલ હતા. અમેરિકા એ જાણવા માગતું હતું કે જર્મન લોકો ખરેખર કેટલું જાણે છે.


પરંતુ દાયકાના અંતમાં અમેરિકામાં કિયાનની ઝળઝળતી કારકિર્દીમાં અચાનક અવરોધ આવી ગયો અને તેમના જીવન વિશેની માહિતી લોકો સમક્ષ બહાર આવવા લાગી.


ક્રિસ જેસ્પર્સન કહે છે, "ચીનમાં 1949ની સાલમાં, ચૅરમૅન માઓ દ્વારા સામ્યવાદી પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઈનાની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી અને બહુ ઝડપથી અમેરિકન ચીની લોકોને "દુષ્ટ લોકો" તરીકે જોતા થઈ ગયા."


"અમે અમેરિકામાં એવા સમયગાળામાંથી પસાર થયા, જ્યાં અમને ચીન પ્રત્યે મોહ હતો, પછી કંઈક થાય છે અને આપણે ચીનને બદનામ કરવા લાગીએ છીએ."


આ દરમિયાન JPLના એક નવા ડિરેક્ટરને લાગ્યું કે લૅબમાં જાસૂસી વર્તુળ કામ કરી રહ્યું છે અને તેમણે પોતાની શંકા FBIના સ્ટાફના લોકોને જણાવી.


ફ્રેસર મૅકડૉનાલ્ડ કહે છે, "મારી નોંધ પ્રમાણે તે બધા ચીની અથવા યહૂદી છે."


શીત યુદ્ધ ચાલી રહ્યું હતું અને સાથે જ મૅકકાર્થી યુગની એન્ટિ- કૉમ્યુનિસ્ટ ઝુંબેશ ચાલી રહી હતી. આવા વાતાવરણમાં FBIએ કિયાન, ફ્રેન્ક મલિના અને અન્ય પર સામ્યવાદી હોવાનો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોવાનો આરોપ લગાવ્યો હતો.

કિયાન જ્યૂસેન અને તેમના વકીલ ગ્રાન્ટ કૂપરઇમેજ સ્રોત,GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

કિયાન જ્યૂસેન અને તેમના વકીલ ગ્રાન્ટ કૂપર


US કૉમ્યુનિસ્ટ પાર્ટીના 1938નાં કાગળોના આધારે કિયાન પર આરોપ મૂકવામાં આવ્યા હતા, જેમાં એ દર્શાવવામાં આવ્યું હતું કે તેમણે એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જે એફબીઆઈ મુજબ પસાડેના કૉમ્યુનિસ્ટ પાર્ટીની બેઠક હતી. જોકે, કિયાને આ પક્ષના સભ્ય હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.


પરંતુ નવા સંશોધન પ્રમાણે તેઓ પણ ફ્રેન્ક મલિનાની જેમ વર્ષ 1938માં પક્ષમાં જોડાયા હતા.


ફ્રેઝર મૅકડૉનાલ્ડ કહે છે કે આટલા માત્રથી તેઓ માર્ક્સવાદી બની જતા નથી. એ સમયે સામ્યવાદનો અર્થ જાતિવાદના વિરોધી, એવો પણ થતો હતો.


તેઓ જણાવે છે કે, "આ જૂથ ફાસીવાદના જોખમ સાથોસાથ અમેરિકામાં વંશવાદની ભયાનકતાને પણ લોકો સામે લાવવા માગતું હતું. દાખલા તરીકે, તેઓ સ્થાનિક પાસાડેના સ્વિમિંગ પૂલમાં વિભાગીકરણ સામે સામે ઝુંબેશ ચલાવી રહ્યા હતા, તેઓ કૉમ્યુનિસ્ટ મિટિંગોમાં આ મુદ્દે ચર્ચા કરતા હતા.


કેલિફોર્નિયા સ્ટેટ પોલિટૅક્નિક યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર ઝ્યુયે વાંગ કહે છે કે, "કિયાન ચીન માટે જાસૂસી કરી હોય અથવા તો અમેરિકામાં ગુપ્તચર એજન્ટ તરીકે કામ કર્યું હોય, તે વાતના કોઈ પુરાવા નથી."


જોકે, તેમની સુરક્ષામંજૂરી પાછી ખેંચી લેવાઈ હતી અને તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. થિયોડોર વૉન કરમન સહિતના કેલટેકના સભ્યોએ કિયાનને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા માટે સરકારને વિનંતી કરી, પરંતુ આ પ્રયાસ વ્યર્થ ગયો.


1955માં જ્યારે કિયાને પાંચ વર્ષ નજરકેદમાં પસાર કરી લીધા, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આઈસેનહાવરે નક્કી કર્યું કે તેમને ચીન મોકલી આપવામાં આવશે. વૈજ્ઞાનિક, તેમનાં પત્ની અને અમેરિકામાં જન્મેલાં બે બાળકો સાથે સમુદ્ર માર્ગે રવાના થયા અને જતી વખતે પત્રકારોને કહ્યું કે તેઓ ફરી ક્યારેય અમેરિકામાં પગ નહીં મૂકે. તેમણે પોતાનું વચન પાળ્યું.

ચીનના શાંઘાઈમાં આવેલા જ્યૂસેન મ્યૂઝિયમાં મિસાઈલઇમેજ સ્રોત,ALAMY

ઇમેજ કૅપ્શન,

ચીનના શાંઘાઈમાં આવેલા જ્યૂસેન મ્યૂઝિયમાં મિસાઇલ


પત્રકાર અને લેખક ટિયાન્યુ ફેંગ કહે છે, "તેઓ અમેરિકાના સૌથી પ્રખ્યાત વૈજ્ઞાનિકો પૈકી એક હતા. તેમણે ઘણું યોગદાન આપ્યું છે અને વધુ યોગદાન આપી શક્યા હોત. અને તેથી તેમની સાથે થયેલું વર્તન માત્ર અપમાન જ નહીં પરંતુ વિશ્વાસઘાત પણ હતો."


કિયાન ચીનમાં હીરો તરીકે પહોંચ્યા, પરંતુ તેમને ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં તરત પ્રવેશ ન અપાયો. તેમનો રેકૉર્ડ દોષરહિત ન હતો. તેમનાં પત્ની રાષ્ટ્રવાદી નેતાનાં કુલીન પુત્રી હતાં અને કિયાનના દેશનિકાલ સુધી તેઓ અમેરિકામાં આરામથી જીવન જીવી રહ્યાં હતાં. તેમણે અમેરિકન નાગરિકત્વ મેળવવા માટેની અરજી પણ કરી હતી.


1958માં જ્યારે તેઓ પક્ષના સભ્ય બન્યા ત્યારે તેમણે આ વાતને સ્વીકારી અને કાયમ શાસનની પડખે રહેવાનો પ્રયત્ન કર્યો. તેઓ સાંસ્કૃતિક ક્રાંતિથી બચી ગયા અને આ રીતે અસાધારણ કારકિર્દી બનાવવામાં સફળ થયા.


જ્યારે તેઓ ચીન પહોંચ્યા ત્યારે રૉકેટ વિજ્ઞાન વિશે ઓછી સમજ હતી, પરંતુ 15 વર્ષ પછી તેમની દેખરેખ હેઠળ ચીનને પ્રથમ ઉપગ્રહને અવકાશમાં તરતો મૂક્યો હતો. દાયકાઓ સુધી તેમણે વૈજ્ઞાનિકોની નવી પેઢીને તાલીમ આપી છે અને ચીનના ચંદ્ર સંશોધનકાર્યક્રમનો પાયો નાખ્યો છે.


ફ્રેઝર મૅકડૉનાલ્ડ કહે છે, "મજાની વાત એ છે કે કિયાને ચીનમાં મિસાઇલ પ્રોગ્રામનો વિકાસ કર્યો તેનો ઉપયોગ અમેરિકા સામે કરવામાં આવ્યો હતો. 1991ના ખાડી યુદ્ધમાં અમેરિકા સામે અને વર્ષ 2016માં USS મેસન સામે કિયાનની સિલ્ક વોર્મ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો "


"આ એક વિચિત્ર વર્તુળ છે. અમેરિકાએ આ કુશળ વૈજ્ઞાનિકને કાઢી મૂક્યો અને તેમનું આ પગલું તેમને કરડવા પાછળ આવી ગયું."

તેઓ જણાવે છે કે, ઘરેલુ સામ્યવાદ વિરુદ્ધ કડક વલણ અખત્યાર કરવા માટે અમેરિકાએ પોતાના મુખ્ય સામ્યવાદી હરીફને મિસાઇલો અને અવકાશ કાર્યક્રમ વિકસાવવા માટે માર્ગ મોકળો કરી આપ્યો - આ એક અસાધારણ જિયો-પૉલિટિકલ ભૂલ હતી."


નૌકાદળના ભૂતપૂર્વ US સેક્રેટરી, ડેન કિમબલ, જેઓ બાદમાં રૉકેટ પ્રૉપલ્શન કંપનીના ઍરોજેટના વડા બન્યા. તેમણે એકવાર કહ્યું હતું કે "આ દેશે કરેલું સૌથી મૂર્ખતાભર્યું કાર્ય" હતું.


ચીન અને અમેરિકા વચ્ચે ફરી એક વખત તણાવ વધ્યો છે. જોકે આ વખત વિચારધારાના કારણે નહીં પરતું વેપાર, ટૅક સિક્યૉરિટી અંગેની ચિંતાઓ અને જેમ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહે છે તેમ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં ચીનની નિષ્ફળતાને કારણે છે.


મોટાભાગના અમેરિકન લોકોને કિયાન અને અમેરિકાના અંતરિક્ષકાર્યક્રમમાં તેમની ભૂમિકા વિશે કોઈ માહિતી નથી.


ફેંગ કહે છે કે અમેરિકામાં ઘણા ચાઇનીઝ અમેરિકનો અને ચીની વિદ્યાર્થીઓ તેમના વિશે અને તેમણે દેશ કેમ છોડવો પડ્યો તે અંગે જાણે છે. તેઓ હાલના સમયને સમાંતરપણે જુએ છે.


તેઓ કહે છે કે, "અમેરિકા અને ચીનના સંબંધો એટલા બગડી ગયા છે કે આ લોકો જાણે છે કે તેમના પર પણ પણ કિયાનની પેઢીની જેમ જ શંકા કરવામાં આવશે."

મૅકડૉનાલ્ડ મુજબ કિયાનની વાર્તા એક ચેતવણી છે જે જણાવે છે કે જ્યારે તમે જ્ઞાનને બહાર કાઢી મૂકો છો ત્યારે શું થાય છે.


"અમેરિકન વિજ્ઞાનની સમગ્ર વાર્તા એ છે કે તે બહારથી આવેલ લોકો દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ આજના રૂઢિ ચુસ્ત સમયમાં આ વાતની ઉજવણી કરવાનું મુશ્કેલ બની જાય છે."


તેમનું માનવું છે કે US સ્પૅસ પ્રોગ્રામમાં JPLનું જે યોગદાન છે તેની વર્નહર વૉન બ્રોન અને અન્ય જર્મન વૈજ્ઞાનિકોની સરખામણીમાં અવગણના કરવામાં આવી છે. આ વૈજ્ઞાનિકોને વૉન કારમન અને કિયાન દ્વારા લેવાયેલા મુલાકાત બાદ બાદ તરત જ US સિક્રેટમાં લઈ લેવામાં આવ્યા હતા.


મૅકડૉનાલ્ડ કહે છે કે બ્રોન નાઝી હતા અને તેમ છતાં તેમની સિદ્ધિઓને માન્યતા આપવામાં આવી છે જ્યારે કિયાન અને તે અન્ય લોકોની એ પ્રકારે માન આપવામાં આવ્યું નથી. તેઓ વધુમાં જણાવે છે, "એ વિચાર કે અમેરિકાનો પ્રથમ સફળ અવકાશકાર્યક્રમ દેશના સમાજવાદીઓ, ભલે તે યહુદી હોય કે ચીની, દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, આ વાત સાંભળવું અમેરિકાને ગમતું નથી.".


કિયાન લગભગ એક સદી સુધી જીવ્યા.


હવે ખરાબ આર્થિક સ્થિતિ ધરવાતું ચીન પૃથ્વી અને અવકાશમાં એક મહાસત્તા બની ગયું છે.


કિયાન આ પરિવર્તનનો એક ભાગ હતા. પરંતુ તેમની વાર્તા એક મહાન અમેરિકન ગાથા પણ બની શકે - જ્યાં પણ પ્રતિભા દેખાય, જ્યારે પણ દેખાય, ત્યાં તે ખીલી શકે.


ગયા વર્ષે, ચીને ઇતિહાસ રચ્યો જ્યારે તેમણે ચંદ્રની દૂર તરફ આવેલા વૉન કારમન ક્રેટર પર ઉતરાણ કર્યું. જેનું નામ કિયાનના માર્ગદર્શક એવા ઍરોનોટિકલ એંજિનિયરના નામ પરથી આપવામાં આવ્યું હતું. અમેરિકન સામ્યવાદવિરોધી સામ્રાજ્યવાદે ચીનને અવકાશમાં આગળ વધારવામાં મદદ કરી તે હકીકત સ્વીકારવી રહી.

લી. મિતાલી ફેશન.

Tuesday, November 3, 2020

વહાણવટા ક્ષેત્રે ચક્રવર્તી ગુજરાતી મહિલા સુમતિ મોરારજી

 ગુજરાતની પ્રજા વ્યાપારવણજમાં તો સાહસિક છે જ પણ સાગરખેડુ તરીકે પણ તેણે આગવી નામના મેળવી છે. પોતાના વિશિષ્ટ ગુણો, સુલેહ અને સમાધાન, સહકાર અને સહિષ્ણુતાને કારણે ગુજરાતી પ્રજા દુનિયામાં વ્યાપાર કરવા માટે સફળ રહી છે.

વાસકો-દ-ગામા એ ભારતની શોધ નહોતી કરી તે પૂર્વે પણ ગુજરાતમાંથી વહાણો દરિયાપારના પૂર્વ આફ્રિકા, આરબ દેશોમાં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યાં હતાં. આવી સાહસિક પ્રજામાં દરિયાખેડુ તરીકે પુરુષોનું વર્ચસ્વ રહ્યું હતું જેમાં કાનજી માલમ હોય કે રામસી માલમ હોય, વહાણના નાખુદા અથવા કૅપ્ટન તરીકે પુરુષો જ હોય.

આવી સુવાંગ મૉનોપૉલી તોડી કચ્છની એક બહાદુર દીકરીએ, જેનું નામ કબી કસ્ટા હતું. ભારતનાં આ પ્રથમ વહાણવટી મહિલા કબી કસ્ટા નાખુદાં બન્યાં તેની પાછળ પણ કારણ હતું. પતિ મીઠુ કસ્ટાને એ જમાનાનો રાજરોગ ક્ષય (ટીબી) લાગુ પડતાં તેમણે કબીને પ્રોત્સાહિત કર્યાં.

કબી પિતા ભોલુ માલમ પાસેથી માલમી વિદ્યા શીખી પૂર્વ-પશ્ચિમનાં બંદરો, આફ્રિકાનાં વિવિધ બંદરો સુધી વહાણ લઈ જતાં. આમ કબી કસ્ટા તે વખતે દેશનાં પ્રથમ નાખુદા અથવા કૅપ્ટન બન્યાં.

ત્યારબાદ લાંબા સમયને અંતે ભારતના વહાણવટાઉદ્યોગમાં કૅપ્ટન તરીકે નહીં પરંતુ વહાણોના પરિવહન અને વહાણો બનાવવાના વ્યવસાયની દોર સાંભળનારાં સુમતિ હતાં. આમ ભારતમાં વહાણવટાના ઇતિહાસમાં કબી કસ્ટા અને સુમતિનું નામ અમર થઈ ગયું.

લાઇન
સુમતી મોરારજી

દેશના વહાણવટાઉદ્યોગમાં પ્રથમ ભારતીય નારી તરીકે નામના પ્રાપ્ત કરનારા સુમતિ મોરારજીનો જન્મ 13 માર્ચ 1909ના રોજ કચ્છના મુંબઈ આવીને સ્થિર થયેલા કચ્છી ભાટિયા શેઠ મથુરદાસ ગોકુલદાસને ત્યાં થયો હતો.

તેઓ વ્યાપારી અને શૅરબજારના બેતાજ બાદશાહ કહેવાતા. તેમનો વ્યવસાય મુખ્યત્વે કપાસ, કાપડ અને હીરડાનો વ્યાપાર હતો અને તેઓ છેક પૂર્વ આફ્રિકા સુધી વ્યાપાર કરતા.

તેમને શૅરબજાર અને રેસકોર્સમાં રસ હોવાથી મુંબઈના અન્ય અગ્રણી પૈસાદાર કુટુંબો, હિસ હાઈનેસ આગાખાન અને વિદેશીઓ જોડે સારા સંબંધો હતા.

શેઠ મથુરદાસ ગોકુલદાસને સાત સંતાનો હતા તેમાં છ પુત્રો અને છેલ્લે લાડકવાઈ બહેન જમુના(સુમતિ બહેન). જમુનાએ કોઈ શાળા કે કૉલેજમાં શિક્ષણ મેળવ્યું ન હતું પરંતુ તેમના પિતાએ એક પારસી શિક્ષક રાખીને તેમને અંગ્રેજી શિખવાડ્યું હતું અને તેમણે શાસ્ત્રીય સંગીતની પણ તાલીમ અપાવી હતી.

આ ઉપરાંત તેઓ પાંચ ભાષાઓ જાણતાં અને ઘોડેસવારી અને સ્વિમિંગ પણ શીખ્યા હતા.

તેઓ નાનપણથી લગભગ 10-12 વરસની ઉંમરે પોતાના પિતા અને ભાઈઓ વચ્ચે ધંધાની ચર્ચાઓ સાંભળતાં અને કોઈકવાર ચર્ચામાં ભાગ પણ લેતાં.

તેમના પિતાએ જમના (સુમતિબેન)ની ધગશ અને બુદ્ધિચાતુર્ય જોઈ તેમને ધંધાની દરેક વાતથી વાકેફ કરવાનું વલણ અપનાવ્યું.

આમ જમુના ધીરેધીરે વ્યાપાર કરવા ઘડાતાં ગયાં અને તેમની આ ક્ષેત્રમાં આગળ વધવાની મહત્વકાંક્ષાએ જમનાનો આત્મવિશ્વાસ વધાર્યો.

જમુના 13 વરસનાં થયાં એટલે તેમનાં માતા પ્રેમાબાઈના આગ્રહને વશ થઈ તેના પિતાએ તેમનું લગ્ન મુંબઈના ઉદ્યોગપતિ અને શિપિંગ અને ટૅક્સ્ટાઈલઉદ્યોગના અગ્રણી એવા શેઠ નરોત્તમ મોરારજી કુટુંબમાં તેમના પુત્ર શાંતિકુમાર સાથે કર્યાં.

એ જમાનામાં તેમનાં લગ્ન એટલી જાહોજલાલીથી થયાં હતાં કે કેટલાય દિવસો સુધી મુંબઈમાં લગ્નની ઉજવણીની ચર્ચાઓ ચાલી હતી.

જમુનાનું લગ્ન થતાં સસરા પક્ષે તેમનું નામ સુમતિ રાખવામાં આવ્યું. તેમના વર્તન અને વ્યવહારથી તેઓ પોતાના પિતા જેટલો જ પ્રેમ તેમના સસરા નરોત્તમ મોરારજી પાસે પામ્યાં હતાં.

નરોત્તમ મો રારજીના અવસાન પછી સુમતિ સામાજિક વ્યવહાર તેમનાં વડસાસુ ઘનીમા પાસેથી શીખ્યાં.

પોતાના પિતાના ઘરે જે રીતે તેમનું ઘડતર થયું હતું અને વ્યાપાર તેમજ સામાજિક પ્રવૃતિઓમાં તેઓ આગળ રહ્યાં હતાં તેજ રીતે લગ્ન પછી તેઓ સસરાના ઘરે પણ આ બધી બાબતોમાં એટલો જ રસ લેતાં.

એ જમાનામાં રાજાઓ, ઉદ્યોગપતિઓથી માંડી અંગ્રેજ અધિકારીઓની આગતાસ્વાગતા કરતાં.

તેઓ અંગ્રેજી, મરાઠી, હિંદી જેવી ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવતાં તેથી તેમને વાતચીતમાં કોઈ મુશ્કેલી પડતી નહીં. તેમના પિતા પાસે મેળવેલી કેળવણી અને સમજદારીને કારણે વિકસેલી હિંમતને કારણે સુમતિએ 'સિંહનું બાળ સિંહ જ હોય' તે સિદ્ધ કર્યું.

લાઇન
પ્રાર્થનાત્મક તસવીર

પિતાની જેમ તેમના સસરાએ પણ પુત્રવધુનું હીર પારખી તેમને વ્યવસાયમાં પળોટવા માંડ્યાં. એ જમાનામાં ગર્ભશ્રીમંત પરિવારની મહિલા ભાગ્યે જ બહાર નીકળતી હતી. એ સમયે સુમતિ બોર્ડની બેઠકમાં હોય કે મજૂરસંઘના મેળાવડા હોય, અવશ્ય હાજર રહી પોતાની ફરજો બજાવતાં. ધીરેધીરે સુમતિ પોતાના પતિ સાથે રહી સોલાપુરની કાપડ મિલમાં તેમજ વહાણવટાઉદ્યોગમાં પણ રસ લેતાં થયાં.

ઈ.સ.1923માં જ્યારે સુમતિ માત્ર 20 વર્ષનાં હતાં ત્યારે શેઠ નરોત્તમે તેમને 'સિંધિયા સ્ટીમ નૅવિગેશન લિમિટેડ' કંપનીની મૅનેજિંગ કમિટીનાં સભ્ય તરીકે સામેલ કર્યાં હતાં. નરોત્તમ મોરારજીએ 1919માં સિંધિયા શિપિંગ કંપની સ્થાપી અને પ્રથમ વહાણ 'લોયલ્ટી' દ્વારા યુકેની પ્રથમ સફર ખેડી હતી તેમાં વિદેશીઓ પણ હતા.

1925માં વડોદરા મહારાજાના સહકારથી ઓખા બંદરેથી માલપરિવહનઅર્થે 'જળજ્યોતિ' વહાણને કાર્યરત કર્યું હતું. આમ નાનાં બંદરોના વિકાસનું કામ પણ શેઠ નરોત્તમ મોરારજીએ શરૂ કર્યું હતું.

ત્રીજું વહાણ 'જલબાલા'નું જુલાઈ 1927માં ઉદ્ઘાટન વિઠ્ઠલભાઈ પટેલના હાથે થયું હતું જે સમયે જામનગરના જામ રણજીતસિંહ, વી.ટી. કૃષ્ણામાચારી, ડૉ. વિશ્વેસરૈયા વિગેરે હાજર હતા. ચોથા વહાણ 'જલદૂત'નું ઉદ્ઘાટન નવેમ્બર 1927માં મોતીલાલ નહેરુના હાથે થયું હતું.

5, નવેમ્બર 1929ના રોજ સોલાપુરથી મુંબઈ પરત આવી રહેલાં સુમતિના સસરા નરોત્તમ મોરારજીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું.

આવી અણધારી આફત આવતાં સોલાપુર અને મુંબઈની મિલો અને સિંધિયા સ્ટીમ નૅવિગેશન લિમિટેડની જવાબદારી તેમના પતિ શાંતિકુમાર અને સુમતિ પર આવી પડી. પરંતુ પિતા અને સસરા પાસેથી મેળવેલ નીડરતા અને ધૈર્યની શિક્ષાએ તેમને સફળતાપૂર્વક જવાબદારીઓ નિભાવવાની શક્તિ આપી.

1936માં મૂંબઈમાં જ્યારે 'સિંધિયા હાઉસ'નો પાયો નંખાયો ત્યારે સરદાર પટેલે તેનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે "સિંધિયા કંપનીનો ઇતિહાસ ભવ્ય છે. આ ઇમારતની એક-એક ઈંટ અને પથ્થર ઉપર ભારતીય વહાણવટાનો ઇતિહાસ લખાશે."

સુમતિની દીર્ઘદ્રષ્ટિને કારણે શિપિંગ ઉદ્યોગ માટે જરૂરી પ્રશિક્ષક મળી રહે તે માટે તેમણે 1948માં નૌકાવિષયક ઈજનેરી કૉલેજ છાત્રાલય સાથે શરૂ કરી અને રડાર નિરીક્ષણનો અભ્યાસક્રમ પણ દાખલ કરવામાં આવ્યો હતો.

તેમણે તાલીમજહાજ "ડફરિન"ની શરૂઆત સ્વતંત્રતા પહેલાં કરી હતી. આ જહાજ થકી શરૂઆતમાં 50 કૅડેટને તાલીમ આપવામાં આવતી પરંતુ સમય જતાં આ સંખ્યા 80ની કરવામાં આવી.

આમ સિંધિયા કંપની માત્ર જહાજો થકી માલસામાનનું પરિવહન કરતી હતી એવું નહોતું પરંતુ તે નાવિકો તૈયાર કરવા માટે તાલીમ પણ આપતી હતી.

સુમતિ મોરારજીના અધ્યક્ષપણા હેઠળ 1949માં ડિરેક્ટોરેટ ઑફ મરીન ઍન્જિનિયરિંગ ટ્રેનિંગની કોલકત્તામાં મુખ્ય કચેરી સ્થાપવામાં આવી જેની એક શાખા મુંબઈમાં છે.

સુમતિ માત્ર ઘર કે વ્યવસાયમાં જ આગળ હતાં તેવું નથી, તેઓએ દેશમાં ચાલી રહેલા આઝાદી માટેના આંદોલનમાં પણ ભાગ લીધો હતો. સુમતિ આ માટે સતત ગાંધીજીના સંપર્કમાં રહેતાં. તેમની મુલાકાત અંગે વર્તમાનપત્રો નોંધ લેતાં.

1942થી 1946 સુધી સ્વતંત્રતાચળવળમાં કેટલાક સ્વાતંત્ર્યસેનાનીઓ જેવા કે જયપ્રકાશજી, અચ્યુત પટવર્ધન, અરુણા અસફઅલીને ભૂગર્ભમાં રાખી સ્વતંત્રતાઆંદોલન ચલાવવા માટે તેમણે મદદ કરી હતી.

આઝાદીની ચળવળમાં ભાગ લેતાં કંપનીને નુકશાન ન થાય તે માટે તેમણે 1942માં 'સિંધિયા કંપની'ના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું.

22મી ફેબ્રુઆરીએ કસ્તુરબાનો દેહાંત થતાં તેમના અંતિમદર્શન કરવા માટે બાપુ પાસે રજા માગી. શેઠ વાલચંદ હિરચંદ 1947 સુધી સિંધિયા કંપનીના પ્રમુખ હતા પરંતુ તેમની તબિયત નબળી રહેતાં 1946માં સિંધિયા કંપનીની જવાબદારી સુમતિએ સંભાળી લીધી. ગાંધી બાપુએ તેમને આત્મબળ પૂરું પાડ્યું. 1944માં બાપુ જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે સુમતિ મોરારજીના જુહુ ખાતેના 'પામ-બન'માં રહ્યા હતા.

લાઇન
પ્રાર્થનાત્મક તસવીર

સુમતિએ પોતાના પૂર્વ અનુભવને પગલે સિંધિયા સ્ટીમ નૅવિગેશન લિમિટેડ કંપનીનો જબરજસ્ત વિકાસ કર્યો. શરૂઆતમાં અમુક જહાજો હતાં અને કંપનીમાં કર્મચારીઓ પણ થોડા હતા. સુમતિ વહીવટ સંભાળતાં થયાં ત્યારથી કંપનીનો વિકાસ સારો થયો અને તેમના હાથ નીચે 6000 જેટલા લોકો રોજગારી મેળવતા થયા. અને તેમના નેતૃત્વ હેઠળ 43 જહાજો પાંચ લાખ બાવન હજાર ટન માલનું પરિવહન કરતાં.

21 જૂન 1941માં વિશાખાપટ્ટનમ ખાતે ડૉ. રાજેન્દ્રપ્રસાદના હાથે સિંધિયા તરફથી વહાણ બાંધવાના ઉદ્યોગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે મહાત્મા ગાંધી, સરોજિની નાયડુની આશિષ સુમતિ મોરારજીએ મેળવી હતી.

જોકે, બીજું વિશ્વયુદ્ધ ફાટી નિકળ્યું અને જાપાને વિશાખાપટ્ટમ પર આક્રમણ કરતા તેમને ભારે નુકશાન થયું.

બીજા વિશ્વ યુદ્ધ પછી સિંધિયાએ નાનાં પાયે વિશાખાપટ્ટમમાં જહાજો બનાવવાની મંજૂરી મળી ત્યારે પહેલું 8000 ટનનું જહાજ "જળઊષા" 1948માં બાંધ્યું, જે સંપૂર્ણ સ્વદેશી હતું અને 14 માર્ચ 1948ના દિવસે ઉદ્ઘાટન માટે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને આમંત્રણ આપ્યું હતું.

આ પ્રસંગનું વર્ણન કરતાં સુમતિબેન એમની સ્મરણોની કિતાબનાં પાનાં ફેરવતાં આ રીતે કરે છે. "પંડિતજી ઉદ્ઘાટન પ્રસંગે સમય કરતાં વહેલા પધાર્યા હતા. એમના માણસોની શરતચૂકને કારણે લોકોનાં ટોળાં આજુબાજુનાં ગામોમાંથી જહાજ અને નહેરુજીને જોવા ઊમટી પડ્યાં."

સિંધિયા કંપનીએ "જળઊષા", "જળપ્રભા" તેમજ 1950માં ગ્લાસગોમાં વિશાળ "જળરાજેન્દ્ર" વહાણ તરતાં મૂક્યાં.

સિંધિયા સ્ટિમ ઍન્ડ નૅવિગેશ કંપનીની વિશ્વના 28 દેશોમાં ઑફિસો હતી અને વિશ્વના 80થી વધુ દેશો સાથે તેમનો વ્યાપાર ચાલતો.

આમ વિશ્વ આખામાં કુલ 12000થી વધુ લોકો તેમની સાથે કામ કરતા. સુમતિની કામગીરી જોઈને 1965માં તેઓ ઇન્ડિયન નેશનલ સ્ટીમશિપ ઑનર્સ ઍસોશિયેશનના (પછીથી નામ બદલી 'ઇન્ડિયન નેશનલ શિપ ઑનર્સ ઍસોશિએશન' કરવામાં આવ્યું)નાં પ્રમુખ તરીકે ચૂંટાયાં.

1970માં વર્લ્ડ શિપિંગ ફેડરેશન, લંડનના ઉપપ્રમુખ તરીકે ચુંટાયાં હતાં. તેઓ નરોત્તમ મોરારજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ શિપિંગનાં પ્રમુખ હતા.

વહાણવટાના ક્ષેત્રે જોડાયેલાં સુમતિ પ્રથમ ભારતીય સન્નારી હતાં.

1950ની શિપિંગ માટેની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં તેઓ હાજર હતાં ત્યારે આ કૉન્ફરન્સમાં તેમની હાજરીથી કેટલાક સભ્યો ક્ષોભ પામતા.

પરંતુ સુમતિને તેનાથી કોઈ જ ફરક પડતો ન હતો. તેમનો આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ આ બધું પચાવી જાય તેવું હતું. ચુસ્ત પુષ્ટિ માર્ગીય હોવાથી વિદેશ જાય તો દારૂ અને માંસાહારથી દૂર રહેવા છતાં પણ તેમના મિલનસાર સ્વભાવને કારણે તેઓ વિદેશીઓ સાથે સુમેળભર્યા સંબધો જાળવી રાખતાં.

વર્ષ 1979થી વર્ષ 1987 સુધી સુમતિ કંપનીનાં પ્રમુખ રહ્યાં. ફડચામાં ગયેલી 'સિંધિયા સ્ટીમ નૅવીગેશન કંપની'ને જ્યારે સરકારે પોતાના હસ્તક લીધી ત્યાર બાદ પણ સુમતિબે મોરારજી ઈ.સ. 1992 સુધી કંપનીનાં માનદ્ પ્રમુખ બન્યાં રહ્યાં.

તેમને ઈ.સ. 1971માં નાગરીક સેવાઓ માટે દેશનું દ્વિતીય સર્વોચ્ચ નાગરિક સન્માન "પદ્મવિભૂષણ" એનાયત કરવામાં આવ્યું હતું.

સુમતિ સમાજજીવનમાં એટલાં જ ઓતપ્રોત રહેતાં. તેમણે જૂહુ ખાતે સુમતિ વિદ્યાકેન્દ્ર નામની શાળાની સ્થાપના કરી. આ ઉપરાંત તેઓ ઈસ્કોન-ISKCON સાથે જોડાયેલ હતાં.

ભારતના ભાગલા થયા તે સમયે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરતા હિન્દુઓને ભારત લાવવામાં તેઓનો ફાળો ઘણો મોટો હતો.

ભારતના સચિવાલય ફરીસાને સંપૂર્ણ સહાય કરવામાં આવી પણ તેનું નામ અગ્રેસર રાખ્યું. વિદ વિદ્યુશી, ઉદ્યોગસાહસિક, દક્ષ પ્રબંધક અને સમાજસેવી 27 જૂન 1998 નાં રોજિંદારોગના હુમલામાં 91 વૃદ્ધ અવ્યવસ્થાનો.

સંદર્ભ:

૧. સપનાથી સોદાગર, લેખક: ઉષા ભાલ મલજી, પ્રકાશક: ગુજરાત વિશ્વ કોષ ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ 2013 પાન: થી 66 થી 77

૨. જીવન૧ જીવનસાર લેખક: જીતેન્દ્ર પટલ, પ્રકાશક: પાર્શ્વ પબ્લિકેશન બીજા આવૃત્તિ: 2018

૩. "નવી સેવા ખોલવા માટે બોસ શિપિંગ". સ્ટ્રેટ્સ ટાઇમ્સ. 22 નવેમ્બર 1971. પી. 8. સુધારેલ 21 જૂન 2012.

૪. "ભારતીય વહાણની માતા સુમતી મોરારજીનું 91 વર્ષની વયે અવસાન". 29 જૂન 1998. સુધારેલ 21 જૂન 2012

લી મિતાલી ફેશન


અતિત ની સુંદર યાદો

  ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરવી   એ અમારી કાયમી ટેવ હતી..! અને ભણવાનો તણાવ ? પેન્સિલનો પાછલો હિસ્સો  ચાવી ચાવીને  તણ...